November 17, 2025
ગુજરાત

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

 નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે તાજેતરમાં જ શાપર વેરાવળ ગ્રામ પંચાયતને લોકસભાની ચૂંટણી પૂર્વે જ સંયુક્ત તાલુકો બનાવવા માટે અમોએ પાંચ વર્ષ પહેલાં સાંસદ મોહનભાઇ કુંડારીયા આપેલા પોકળ વચન તથા ગત વખતે રાજકોટ ગ્રામ્યના ત્રીજી વખત ચુંટાયેલા ગુજરાત પ્રદેશમાં મંત્રી મંડળમા સ્થાન પામેલા ભાનુબેન બાબરીયાએ સતતં બીજી વખત આપેલા વચન તથા શાપરના પનોતા પુત્ર જાણીતા ઉધોગપતિ પટેલ અગ્રણી શ્રી રમેશભાઈ ટિલાળા સાહેબ પણ પ્રથમ વખત તથા બન્ને સરપંચોએ આપેલા વચનોની યાદી કરાવવા જાણ કરી હોય છે

સંદર્ભે આગળ વધવા માટે ટુંક સમયમાં જ આગામી દિવસોમાં શાપર વેરાવળમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે લાઈવ ડિબેટનુ આયોજન કરાશે જેમાં ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ તથા રાષ્ટ્રીય નેતાઓ તથા વિપક્ષના નેતાઓ તેમજ પત્રકારો વિવિધ સમાજના આગેવાનો નાના મોટા વ્યાપારીઓ, ઉધોગપતિઓ, શાકભાજી તથા પાથરણા કે લારી ગલ્લા વાળા ધંધાર્થીઓ તથા સરકારી અધિકારીઓ અને જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે જેમાં જાહેર જનતાને પ્રશ્ર્નોના નિરાકરણ માટે સૌએ ફરીથી સાથે મળીને એક થઈ જુથવાદ જાતિવાદ પરિવારવાદ ને તિલાંજલિ આપી શાપર વેરાવળને સંયુક્ત તાલુકો બનાવવા આગળ વધવા લાગતાં વળગતા અધિકારીઓ તથા નેતાઓને અપિલ કરાશે ત્યારે જોવાનું એ રહે છે કે શું આ લાઈવ ડિબેટમાં નેતાઓએ આપેલા પોકળ વચનોનો જવાબ જનતાને આપી શકશે ખરા? કે ફરી વચનો માત્ર કાગળ પર જ રહી જશે

આપણા આ લોક લાડીલા નેતાશ્રીઓ ફોટાઓમાં કે કોઈ ઉદ્ઘાટન પ્રસંગે જ જોવા મળશે અને નીચેના મુદ્દાઓ પર  લાઈવ ડિબેટ પર ચર્ચા કરવામાં આવશે.

પ્રથમ પ્રશ્ર્ન શાપર વેરાવળ સંયુક્ત તાલુકો અને નગરપાલિકા ક્યારે અપાવશે સ્થાનિક તથા પ્રદેશના નેતાઓ ?

શાપર વેરાવળમાં બસ‌ સ્ટેશન તથા સર્વિસ રોડ તથા જાહેર માર્ગો પર જોવા મળતી ગંદકી અને કચરાનો નિકાલ દરરોજ થશે ખરો ?

શાપર વેરાવળ ગામ પંચાયતથી નેશનલ હાઇવે શાપર પાટિયા સુધી તથા સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટોનું અધુરુ કાર્ય પુર્ણ થશે ખરુ ?

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શાપર વેરાવળમા ગરીબ જનતા માટે આવાસો બનશે ખરા ?

પ્રાઇવેટ મોટા મોટા શોપિંગ મોલ્સ તો ઉભા થઇ રહ્યા છે ત્યારે નાના મોટા વ્યાપારીઓ લારી ગલ્લા વાળા ધંધાર્થીઓ કે ગરીબો માટે સરકારી દુકાનો તથા આધુનિક સુવિધાઓ વાળી શાક માર્કેટ તથા માર્કેટ યાર્ડ બનાવાશે ખરા ?

રોજ બરોજની ટ્રાફિક સમસ્યાના હલ માટે શાપર વેરાવળ અલગ ટ્રાન્સપોર્ટ નગર બનાવવામાં આવશે ખરુ?

શાપર વેરાવળ વિસ્તારમાં લગભગ અંદાજીત 1 લાખથી વધારે વસવાટ કરતી જાહેર જનતા માટે સુવિધાઓ જનક બસ સ્ટેન્ડ પોસ્ટ ઓફિસ તથા હરવા ફરવા કે યોગ માટે બાગ બગીચા કે ઉધાન કે walking path બનાવાશે ખરા?

Related posts

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

પારુલ હોસ્પિટલમાં મ્યુઝીક થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો