August 7, 2026
તાજા સમાચારદેશ

કેરળમાં કોવિડ-૧૯ ચેપ JN-1ના નવા પ્રકારની થઇ પુષ્ટિ, સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડ પર

દેશમાં ફરી એકવાર કોરોના પોતાના પગ ફેલાવી રહ્યો છે. ભારતના વિવિધ રાજ્‍યોમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરળમાં કોવિડ-૧૯ ચેપ JN-1ના નવા પ્રકારની પુષ્ટિ થયા પછી, સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડ પર છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૩૫ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, યુપી અને કેરળમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે. બીજી તરફ, WHO ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને ચિંતિત છે. એડવાઈઝરી જારી કરીને દેશોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.

દેશમાં ફરીથી કોરોનાના કેસો વધવા લાગ્‍યા છે.

તાજેતરમાં, કેરળમાં કોરોનાના નવા પ્રકાર, JN-1ની પુષ્ટિ થઈ હતી. જે બાદ કેરળ સરકારે રાજ્‍યભરમાં હેલ્‍થ એલર્ટ જાહેર કર્યું હતું. કેન્‍દ્ર સરકાર પણ કોરોનાના કેસમાં વધારાને લઈને ચિંતિત છે. કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયે અપડેટ કર્યું છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૫ નવા કેસ નોંધાયા છે. આ સાથે, સક્રિય અને દર્દીઓની સંખ્‍યા વધીને ૧,૭૦૧ થઈ ગઈ છે.

કોરોનાના કારણે પાંચ મોતથી ગભરાટ

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના કેસ જ ચિંતાનો વિષય નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત પણ થયા છે. કેરળમાં ચાર અને યુપીમાં એક મળત્‍યુ નોંધાયું છે. કોવિડ-૧૯ને કારણે ૫,૩૩,૩૧૬ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે મળત્‍યુદર ૧.૧૯ ટકા છે. તે જ સમયે, ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્‍યા વધીને ૪.૪૬ કરોડ (૪,૪૪,૬૯,૭૯૯) થઈ ગઈ છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે કહ્યું કે રાષ્‍ટ્રીય રિકવરી રેટ ૯૮.૮૧ ટકા હોવાનો અંદાજ છે.

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં અત્‍યાર સુધીમાં કોવિડ-૧૯ રસીના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્‍યા છે.

WHO ની ચેતવણી :

વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા (WHO) એ ઘણા દેશોમાં કોરોનાના વધતા જતા કેસો પર ચિંતા વ્‍યક્‍ત કરી છે. સંસ્‍થાએ તમામ અસરગ્રસ્‍ત દેશોને નજીકથી દેખરેખ રાખવા અને પરીક્ષણ ચાલુ રાખવા વિનંતી કરી છે. ષ્‍ણ્‍બ્‍ એ વૈશ્વિક આરોગ્‍ય સંસ્‍થાના COVID-19 ટેકનિકલ અગ્રણી ડૉ. મારિયા વાન કેરખોવનો વિડિયો પણ બહાર પાડ્‍યો છે. જેમણે કોરોનાના કેસ વધવા પાછળના કારણો સમજાવ્‍યા અને સાવચેતી રાખવાની પણ વાત કરી.

નવા પ્રકારોએ દસ્‍તક આપી, સિંગાપોરમાં કોરોનાના નવા પ્રકાર, JN-1ની પુષ્ટિ થઈ ત્‍યારે કોરોનાના વધતા કેસોએ વૈશ્વિક ચિંતામાં વધારો કર્યો. નિષ્‍ણાતોના મતે, આ કોરોનાનું સૌથી જટિલ અને ખતરનાક પ્રકાર છે. તે ઝડપથી ફેલાય છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આનાથી મળત્‍યુઆંક વધી શકે છે કે કેમ. પરંતુ, તાજેતરના વિકાસ અનુસાર, આ નવા પ્રકારે અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં લોકોને ઝડપથી સંક્રમિત કર્યા છે.

તાજેતરમાં કેરળમાં પણ આ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી હતી. ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે, આ નવો પ્રકાર કેરળની ૭૯ વર્ષીય મહિલામાં જોવા મળ્‍યો છે. જો કે, આ ઘટના ૮ ડિસેમ્‍બરે બની હતી અને મહિલા સંપૂર્ણપણે સ્‍વસ્‍થ છે. રવિવારે, કેરળના આરોગ્‍ય પ્રધાન વીણા જ્‍યોર્જે જણાવ્‍યું હતું કે રાજ્‍યમાં જોવા મળતું COVID-19 સબ-વેરિયન્‍ટ JN.1 ચિંતાનું કારણ નથી

Related posts

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ યુવકે નમાજ અદા કરી, ઉત્તરાખંડમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

કિન્નરોને મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસરૂપે ટ્રાન્સજેન્ડર પોર્ટલ અસીમ અરૂણ દ્વારા શરૂ કરાયું

Ahmedabad Samay

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી નવું પોર્ટલ કાર્યરત કરાશે

Ahmedabad Samay

CJP કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર બીજા એક મોટા જન અભિયાનની RHA ‘Reservation Hatao Andolan ની એન્ટ્રી,ઇન્‍સ્‍ટાગ્રામ પર ૪૬ લાખથી વધારે ફોલોઅર્સ કરી લીધા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો