August 9, 2026
તાજા સમાચારદેશ

સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત ‘હમારા રામ આયે હૈં’ આજે થશે રિલીઝ

અયોધ્યા ધામના શ્રી રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મંદિરોથી લઈને ઘરના દરવાજા સુધી દરેક જગ્યાએ દિવાળી જેવો માહોલ છે, રામ લાલાના સ્વાગત માટે દીવા પ્રગટાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ ભવ્ય સમારોહ માટે હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામાયણ ટીવી સિરિયલના અરુણ ગોવિલ, જેણે સ્ક્રીન પર ભગવાન રામની ભૂમિકા ભજવી હતી, તેને પણ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી પણ તેમાં સામેલ છે. આવી સ્થિતિમાં હવે રામાયણના રામ, સીતા અને લક્ષ્મણ તેમના ચાહકો માટે એક ખાસ ભેટ લઈને આવ્યા છે.

આ વિશે માહિતી શેર કરતાં અરુણ ગોવિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એમને કહ્યું કે, ‘ચાલો આપણે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણનું અયોધ્યામાં સ્વાગત કરીએ. સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત ‘હમારા રામ આયે હૈં’ રિલીઝ થવાનું છે. આ ગીત ૨૨ જાન્યુઆરીએ રિલીઝ થશે, જેમાં અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયા જોવા મળશે.’

અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયા સિવાય બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અમિતાભ બચ્ચન, અજય દેવગન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, આશા ભોંસલે સહિત ઘણા કલાકારો સામેલ થશે

Related posts

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

આ વિટામિનની ઉણપથી થાય છે શરીરમાં બળતરા-ત્વચાના રોગો, તરત જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

Ahmedabad Samay

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું, પાયલટ રાજસ્થાનના લાઠીથી પકડાયો

Ahmedabad Samay

જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થઇ શકે છે ધરપકડ

Ahmedabad Samay

ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો,17 વર્ષના લાંબા ગાળા બાદ ભારત ફરી એકવાર T20 વર્લ્ડ કપ જીત્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો