May 8, 2026
Other

ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી

આજે ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર અને ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી યથાવત રાખતા દેખાવો યોજાયા અને ગાંધીનગર કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.. આજે ગાંધીનગર ના સેકટર 12 માં આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો વડીલો યુવાનો અને મહિલા ઓ એકઠા થયા હતા,

રાજપૂત સમાજની એકજ માંગ હતી કે ભાજપ નેતા અને રાજકોટ લોકસભા ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવામાં આવે, રાજપૂત સમાજના આગેવાનો એ વધુ માં એમ પણ જણાવ્યું હતું કે ગઈકાલે ગોંડલ ખાતે જે મીટીંગ થઈ એ માત્ર ભાજપ ના નેતાઓની ડેમેજ કન્ટ્રોલ ની કવાયત હતી અને તે મીટીંગમાં રાજ્યની તમામ 90 જેટલી રાજપૂત સનસ્થાઓ ની સંકલન સમિતિ ને બોલાવવામાં નથી આવી આમ આ સમાધાન ના થયું હોવાની અને પુરુષોત્તમ રૂપાલા ને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં નહિ આવે તે વાત પર ક્ષત્રિય રાજપૂત સમાજ એક સુર માં અડગ રહ્યો છે

આજના કાર્યકર્મમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી અને તેઓ પણ આ એક જ માંગ પર અડગ રહયા હતા …આમ પુરુષોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન અંગેનો વિવાદ હજુ સમવાનું નામ નથી લેતો અને સમગ્ર રાજ્યના ક્ષત્રિય રાજપૂત સમાજ માં રૂપાલા નો વિરોધ થઈ રહ્યો છે અને સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવા ની માંગ દિવસે ને દિવસે પ્રબળ થતી જોવા મળી રહી છે.

Related posts

14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર RSS વડા મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે

Ahmedabad Samay

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

Ahmedabad Samay

ચણિયા ટોળી’ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી

Ahmedabad Samay

કોરોના મહામારી આવી ત્યારથી સખ્તાઇ પૂર્વક બધું બંધ કરવામાં આવી રહ્યું છે તો દેશી દારૂ કેમ નહિ ? ઓક્સિજન નું કામ પણ બુટલેગરો સોપો કદી અછત નહિ પડે

Ahmedabad Samay

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો