વિવાદો વચ્ચે શ્રી પરસોત્તમ રૂપાલાએ આજથી રાજકોટમાં ચૂંટણી પ્રચાર ફરી શરૂ કરતા ક્ષત્રિય સમાજ આંકરાપાણીએ, શ્રી રૂપાલાના વિરોધમાં 7 ક્ષત્રિયાણીઓની કાલે જોહર કરવાની ચીમકી,તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી યોજશે, વિવિધ રાજઘરાના નાં રાજવીઓ આવતીકાલે અમદાવાદમાં એક મંચ પર આવીને શ્રી રૂપાલા વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરશે, ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા 7મી એપ્રિલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ મહિપાલસિંહ પણ ઉપસ્થિત રહેશે.
