June 23, 2026
ગુજરાત

રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી

પુરસોત્તમ રૂપાલાના  નિવેદનના પગલે રાજ્‍યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજે ઘેરાવો કર્યો છે. ત્‍યારે આજે કરણીસેનાના રાજ શેખાવતે આત્‍મવિલોપનની ચીમકી ઉચ્‍ચારી છે. રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી છે.  રાજ શેખાવતે  એક વીડિયોમાં જણાવ્‍યુ હતુ કે જો અમને જો કમલમ સુધી પહોંચવા દેવામાં નહીં આવે તો આત્‍મવિલોપન કરીશું .

અમદાવાદ એરપોર્ટ પરથી અગાઉ એવા સમાચાર આવ્‍યા હતા કે રાજ શેખાવતને નજર કેદ કરવામાં આવ્‍યા છે. પરંતુ તેઓ એરપોર્ટની બહાર આવતાની સાથે એરપોર્ટ પર ઉપસ્‍થિત પોલીસના કાફલાએ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. રાજ શેખાવતે આજે ૨ વાગ્‍યે ગાંધીનગરના કમલમ પર પોંહચવાનું આહવાન કર્યું હતુ.

આજે એટલે કે ૯ એપ્રિલે ગાંધીનગરમાં કમલમને ઘેરાવની રાજ શેખાવતે  ચીમકી આપી છે. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજ શેખાવતનું નિવેદન આવ્‍યુ છે. જેમાં તેમણે જણાવ્‍યુ કે ક્ષત્રિય સમાજને આજે ૨ વાગ્‍યે ગાંધીનગર કમલમમાં પહોંચવાનું આહવાન કરવામાં આવ્‍યુ છે. તેમજ રાજ શેખાવતે કેસરિયા ઝંડા અને દંડા સાથે આવવાનું જણાવ્‍યુ હતુ.

ગુજરાત કરણી સેનાના અધ્‍યક્ષ રાજ શેખાવતે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્‍ચારી છે. જેઓની હાલમાં પોલીસે અટકાયત કરી છે. મોટી સંખ્‍યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા રાજ શેખાવતે હુંકાર કર્યો છે. રાજ શેખાવતના જણાવ્‍યા અનુસાર ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયો કમલમ પહોંચશે, ત્‍યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ છાવણીમાં ફેરવાઇ ગયુ છે. મહિલા પોલીસ સહિત વિવિધ એજન્‍સીઓ ખડકાઈ છે. ગાંધીનગર અને ખાસ કરીને કમલમ ખાતે સલામતી શાખા, SRP, સ્‍થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવી છે.

Related posts

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

Ahmedabad Samay

અમદાવાદ – પૂર્વ વિસ્તારમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમી જ નિકળ્યો હત્યારો

admin

એક ટિપ્પણી મૂકો