May 7, 2026
ગુજરાત

અમારી સાથે બહુ મોટી રમત રમાઈ :અમે જેમના ઉપર વિશ્વાસ મુક્યો તેમણે ભરોસો તોડ્યો: મહંત દિલીપદાસજી

અમદાવાદમાં આ વર્ષે 142 વર્ષની પરંપરા તૂટી હતી. આ વખતે હાઇકોર્ટની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી ન હતી. રથયાત્રાના બીજા દિવસે  એટલે કે આજે ભગવાનની નજર ઉતારીને તેમને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ મોટું નિવેદન  આપતા જણાવ્યું હતું કે, તેમની સાથે રમત રમવામાં આવી છે. મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે તેમને રથયાત્રા કાઢવા દેવામાં આવશે તેવો ભરોસો  અપાવવામાં આવ્યો હતો. આ મામલે નિવેદન આપતી વખતે મંદિરના મહંત રડી પડ્યા હતા. તેમણે આ વર્ષે રથયાત્રા ન નીકળી શકી તે માટે શહેરીજનો અને ભક્તોની  માફી માંગી હતી.

આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ ન નીકળી શક્યા તે મામલે મીડિયાને નિવેદન આપતા મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, “આ વર્ષે ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે હું શહેરમાં  ભગવાન જગન્નાથને ન લાવી શક્યો. હું તમને ભગવાનના દર્શન ન કરાવી શક્યો. મને છેક મંગળા આરતી સુધી ભરોસો આપવામાં આવ્યો હતો કે રથયાત્રા નીકળશે.  એ જ ભરોસાને  કારણે હું કંઈ ન કરી શક્યો. મેં ભરોસો કર્યો એટલે ભગવાનને બહાર ન લાવી શક્યો. મારા માટે આ મોટો ભરોસો હતો. જે પણ કહો પરંતુ  અમારી સાથે મોટી રમત રમવામાં આવી છે. અમે આ વાત તમને કહી નથી શકતા.

 

Related posts

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

Ahmedabad Samay

વડોદરા: MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર, રાજીનામું આપવા સુધીની ઊઠી માગ!

Ahmedabad Samay

એક દેશ, એક ચૂંટણી ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી

Ahmedabad Samay

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

Ahmedabad Samay

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો