March 27, 2026
ગુજરાત

ધોરણ ૧૨ અને કોલેજના અંતિમ વર્ષના પરિણામ આવ્યા બાદ ફરી પોલીસ ભરતીના ફોર્મ ભરવાની તક આપવામાં આવશે.

ગુજરાત રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઇની ભરતી કેલેન્ડરમાં ધોરણ 12નું પરિણામ આવ્યા પછી અને કોલેજના અંતિમ વર્ષની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે ફરીથી અરજી કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારને પણ તક આપવામાં આવશે. આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અરજી માટે યુવાનોને તક આપવામાં આવશે, તેવું ટ્વીટ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કર્યું છે.

આ માટે જનરલ કેટેગરીના ઉમેદવારે પીએસઆઇ ભરતી કેડર માટે રૂ.100, લોકરક્ષક કેડર માટે રૂ.100ની ફી રાખવામાં આવી છે. બંને ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે રૂ.200 ફી ભરવાની રહેશે. જ્યારે એસ.સી, એસ.ટી તથા ઈ ડબલ્યુ એસ કેટેગરી સહિતના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેશે નહીં. આ ફી માત્ર ઓનલાઈન ભરી શકાશે

આ ભરતી માટે પીએસઆઈ કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. પીએસઆઈ માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે એમસીકયુની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રવિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.

રાજ્યમાં આગામી કુલ 12472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે તેની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. પોલીસ વિભાગની પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસ.આર.પી.એફ. અને જેલ સિપાઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ભરતી માટેના ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. હજુ વધુ યુવાનોને પોલીસ સર્વિસ માટે તક આપવામાં આવશે.

Related posts

રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ છે: હાઈકોર્ટનું તારણ

Ahmedabad Samay

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

Ahmedabad Samay

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

Ahmedabad Samay

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

Ahmedabad Samay

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો