May 9, 2026
ગુજરાત

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી છે. ત્યાર આજે પણ વહેલી સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી હતી અને તમામને ટોકન આપવામાં આવ્યા હતા. જો કે, 10 વાગ્યા સુધીમાં જ આ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરો થઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા તમામ હોસ્પિટલોમાં બેડ વધારી દેવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. જો કે, છેલ્લા બે દિવસથી ઝાયડસ હોસ્પિટલની બહાર હજારોની સંખ્યામાં લોકો રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાઈનો લગાડી રહ્યા છે. ત્યારે આજે પણ આવો જ હાલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ લોકોએ ઇન્જેક્શન લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. પરતું સવારે દસ વાગ્યાની આસપાસ જ 1 હજાર જેટલા ઇન્જેક્શન પુરા થઈ ગયા હતા. આ અંગે જાહેરાત કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેથી હાજર પોલીસતંત્રે લોકોને ઘરે ભગાડ્યા હતા.

આવતીકાલ મંગળવાર સુધીનાં ઇન્જેક્શન માટે ટોકન આપી દેવામાં આવ્યા છે. બુધવારે ઇન્જેક્શન લેવા માટે આવતીકાલે મંગળવારે લોકોને આવવા માટે કહેવામાં આવ્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન રોજબરોજ વધી રહી છે. આજે ટોકન લેવા આવેલા લોકોને પણ પરત જવાનો વારો આવ્યો હતો. 1000 જેટલાં ટોકન રોજ આપવામા આવે છે. ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિરનો આજનો સ્ટોક ખાલી થઈ ગયો છે હોસ્પિટલે લોકોને પરત જવા માટે કહ્યું છે. મોડી રાતથી ઈન્જેક્શનની રાહ જોઈ રહેલા લોકોમાં રોષ ફેલાયો છે કે જો હોસ્પિટલમાં સ્ટોક નથી તો શા માટે ટોકન આપવામાં આવે છે? પહેલા કેમ જાણ ન કરી.

Related posts

અમદાવાદ: બિસ્માર ચાંદલોડિયા બ્રિજ નીચે લોખંડના ટેકા મૂકાયા, રાહદારીઓમાં ભયનો માહોલ!

admin

અમદાવાદમાં ડેપોથી ૨૩૨૫ એક્સપ્રેસ બસો શરૂ કરાઈ

Ahmedabad Samay

કોર્ટમાં સોમવારથી પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થશે

Ahmedabad Samay

અમદાવાદ: 2002ના રમખાણો મામલે તિસ્તા સેતલવાડે લીધું મોટું પગલું, હવે ફરી ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

સુરત:કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત ૦૯ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાંચ નો ગુન્હો દાખલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો