March 25, 2026
ગુજરાત

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી છે. ત્યાર આજે પણ વહેલી સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી હતી અને તમામને ટોકન આપવામાં આવ્યા હતા. જો કે, 10 વાગ્યા સુધીમાં જ આ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરો થઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા તમામ હોસ્પિટલોમાં બેડ વધારી દેવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. જો કે, છેલ્લા બે દિવસથી ઝાયડસ હોસ્પિટલની બહાર હજારોની સંખ્યામાં લોકો રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાઈનો લગાડી રહ્યા છે. ત્યારે આજે પણ આવો જ હાલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ લોકોએ ઇન્જેક્શન લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. પરતું સવારે દસ વાગ્યાની આસપાસ જ 1 હજાર જેટલા ઇન્જેક્શન પુરા થઈ ગયા હતા. આ અંગે જાહેરાત કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેથી હાજર પોલીસતંત્રે લોકોને ઘરે ભગાડ્યા હતા.

આવતીકાલ મંગળવાર સુધીનાં ઇન્જેક્શન માટે ટોકન આપી દેવામાં આવ્યા છે. બુધવારે ઇન્જેક્શન લેવા માટે આવતીકાલે મંગળવારે લોકોને આવવા માટે કહેવામાં આવ્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન રોજબરોજ વધી રહી છે. આજે ટોકન લેવા આવેલા લોકોને પણ પરત જવાનો વારો આવ્યો હતો. 1000 જેટલાં ટોકન રોજ આપવામા આવે છે. ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિરનો આજનો સ્ટોક ખાલી થઈ ગયો છે હોસ્પિટલે લોકોને પરત જવા માટે કહ્યું છે. મોડી રાતથી ઈન્જેક્શનની રાહ જોઈ રહેલા લોકોમાં રોષ ફેલાયો છે કે જો હોસ્પિટલમાં સ્ટોક નથી તો શા માટે ટોકન આપવામાં આવે છે? પહેલા કેમ જાણ ન કરી.

Related posts

વિસનગરના કમાણા ગામના રાજપૂત યુવા સંગઠન દ્વારા ૧,૦૦,૦૦૧ નો દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

અશ્વિની વૈષ્ણવ : રાજકોટ થી વડોદરા જવા માટે અમદાવાદના બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Ahmedabad Samay

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

Ahmedabad Samay

અમદાવાદનો વિશાલા બ્રિજ જર્જરિત હાલતમાં, કોંગ્રેસના ધારાસભ્યની વાહન વ્યવહાર બંધ કરવાની માગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો