November 14, 2025
ગુજરાત

જુનાગઢ ફેક વેક્સિન સર્ટિફિકેટ મામલે જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ

ગુજરાતના જૂનાગઢમાં જયા બચ્ચન, જુહી ચાવલા પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફને કોરોનાની રસી મળી તેવા તેમના નામ સાથેના વેક્સિન સર્ટિફિકેટનો મામલો સામે આવ્યો છે ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

જુનાગઢમાં કર્મચારીઓએ બનાવટી પ્રમાણપત્રો બનાવ્યા મોટી હસ્તીઓના નામવાળા આ પ્રમાણપત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જિલ્લામાં ભેસાણ, વિસાવદર વિસ્તારના ગામડાઓમાંથી આ પ્રકારની ઘટના બની હતી. પ્રાથમિક દ્રષ્ટિએ, એવું માનવામાં આવે છે કે રસીકરણના લક્ષ્યને પૂર્ણ કરવા માટે, કોવિડ રસી લેવા માટે જયા બચ્ચન, મહિમા ચૌધરી, જુહી ચાવલા અને મોહમ્મદ કૈફ જેવી હસ્તીઓના નામ પર પ્રમાણપત્રો પણ જારી કરવામાં આવ્યા હતા. આ પ્રકારના ઘટસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે.

કલેકટરે તપાસના આદેશ આપ્યા
આ સમગ્ર મામલાના ખુલાસા બાદ જૂનાગઢ કલેક્ટર સંજ્ઞાન લઈ નકલી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ તૈયાર કરવાના મામલે તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે આ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે. તેની કમાન નાયબ વિકાસ અધિકારીને સોંપવામાં આવી છે. કલેક્ટર રચિત રાજે કહ્યું કે મારા ધ્યાનમાં આવ્યું છે કે સેલિબ્રિટીના નામે કોવિડ વેક્સિન સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ કેસમાં જે પણ દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટસ્ફોટથી કોવિડ રસીકરણના લક્ષ્યને હાંસલ કરવા પર પણ પ્રશ્નો ઉભા થયા છે. જૂનાગઢ જિલ્લામાં આ સેલિબ્રિટીઓને કોવિડની રસી લેવા માટે પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. આ સેલિબ્રિટીઓના નામે જારી કરાયેલ કોવિડ રસી લેવાના પ્રમાણપત્રો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના બાદ 7 ગુજરાતીઓના મૃતદેહ અમદાવાદ લવાયા, વતનમાં થશે અંતિમ વિધી

Ahmedabad Samay

અમદાવાદ ગ્રામ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલને મળી મોટી સફળતા, LPG ગેસના ટેન્કરમાં ભરેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Ahmedabad Samay

સુરતની સેશન્સ કોર્ટમાંથી રાહુલ ગાંધીને ફરી ઝટકો, રાહત માટે હાઈકોર્ટ પહોંચી શકે છે

Ahmedabad Samay

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો