June 24, 2026
ગુજરાતમનોરંજન

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

નિર્માતા યશરાજ ફિન્સ , દિલ્હીની ગાદી પર બિરાજમાન અંતિમ હિન્દુ સમ્રાટ પરાક્રમી મહાવીર પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત એક ફિલ્મ બનાવવા જઈ રહયા છે .

આ ફિલ્મના નિર્દેશક તથા લેખક છે ચાણકય ફેઈમ ડો . ચંદ્રપ્રકાશ દ્વિવેદી . આ ફિલ્મમાં એક બાજુ અક્ષયકુમાર , સંજયદત તથા સોનુ સુદ જેવા મોટા કલાકારો આ ફિલ્મમાં અભિનય કરી રહયા છે તેમજ બીજી તરફ પુર્વ વિશ્વસુંદરી માનુષી ચિલ્લર બોલીવુડમાં પોતાનું પ્રદાર્પણ કરી રહી છે . પ્રખર હિન્દુ સમ્રાટ મહાવીર પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર બની રહી આ ફિલ્મનું સન્માનજનક નામ દેવું જોઈએ પરંતુ જાણી જોઈને આ ફિલ્મના નિર્માતા – નિર્દેશક – લેખકએ આ ફિલ્મને મહાવીર પૃથ્વીરાજ ચૌહાણના જીવન આધારિત આ ફિલ્મ માટે યોગ્ય તથા સન્માનજનક નામ નથી દેવામાં આવ્યું .

છેલ્લા એક વર્ષથી રાજપુત કરણી સેના આ ફિલ્મ અંગે ખુલ્લેઆમ આગળ વધી રહી છે . રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહિપાલસિંહજી મકરાણીના નેતૃત્વમાં આ ફિલ્મના શુટીંગને રાજસ્થાનમાં રોકી દેવામાં આવી હતી . ફેબ્રુઆરીમાં શ્રી રાજપુત કરણી સેનાના મુંબઈના અધ્યક્ષ શ્રી દિલીપસિંહ રાજપુતએ યશરાજ ફિલ્મ સહિતના તમામ કલાકારો તથા નિર્માતા – નિર્દેશક ડો . ચંદ્રપ્રકાશ દ્વિવેદીને પત્ર લખી આ ફિલ્મના સંદર્ભમાં તથા તેના નામકરણે અંગે પોતાનો વાંધાઓ દર્શાવ્યા હતા તેમજ મુંબઈ પોલીસને પણ આવેદનપત્ર આપેલ હતું . તાજેતરમાં જ , મે મહિનામાં યશરાજ ફિન્સને અલ્ટીમેટમ આપતા , મુંબઈ પોલીસ કમીશનરશ્રીને આ ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માં કરવામાં આવી હતી .

જે સંદર્ભે શ્રી રાજપૂત કરણી સેના ના  રાજકોટ પ્રદેશ અધ્યક્ષ શ્રી જયદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ રાજકોટ પોલીસ કમિશનર શ્રી ને પૃથ્વીરાજ ફિલ્મનું નામ બદલી સન્માન જનક નામ આપવા બદલ અપીલ કરી છે અને આ બાબતે નોંધ લઈ નિર્માતા યશરાજ ફિલ્મ તથા નિર્દેશક – લેખક ડો . ચંદ્રપ્રકાશ દ્વિવેદીની વિરૂધ્ધ ધાર્મિક ભાવનાઓ સામે ઠેસ પહોંચાડવા , જાણી જોઈને રાજપુત સમાજને ઉશ્કેરવા તથા પ્રખર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની માનહાનિબદનામી કરવા સામે ફોજદારી કેસ નોંધવા નમ્ર અરજ સહ નિવેદન કર્યું હતું.

 

Related posts

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકાશે

Ahmedabad Samay

LRD ભરતીમા ૧૨ લાખ જેટલી અરજીઓ આવી,જેમાં ૯.૪૬ લાખ અરજી કન્ફર્મ થઇ

Ahmedabad Samay

સુરત:કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત ૦૯ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાંચ નો ગુન્હો દાખલ

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો