May 7, 2026
ગુજરાત

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી,

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી થયું છે. માણેકચોકમાં મકાન ધરાશાયી થતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી. ભરચક વિસ્તારમાં મકાન ધરાશાયી થયાના સમાચાર મળતાની સાથે જ ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 2 લોકો દટાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ફાયરની ટીમ સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. હાલમાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

અચાનક મકાન ધરાશાયી થતા પડોશીઓ મેદાનમાં આવી ગયા

અમદાવાદની પોળોમાં અનેક મકાનો વર્ષોથી બનેલા છે, જે જર્જરિત થતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. અહીં માણેકચોકની પોળમાં મકાન ધરાશાયી થતા બે લોકો ફસાયા હોવાનું અનુમાન છે.  ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા તેની બાજુના મકાનોમાં રહેતા લોકો પણ તાત્કાલિક મકાન ખાલી કરીને નીચે મેદાનમાં આવી ગયા હતા.

પોલીસ આ ઘટના અંગે કરશે તપાસ

અચાનક ત્રણ માળનું મકાન ધરાશાયી થતા તંત્ર તેની તપાસ કરશે કે મકાન જર્જરિત હોવાથી ધરાશાયી થયું છે કે  કોઈ શખ્સ દ્વારા ઇરાદાપૂર્વક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

Related posts

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું

Ahmedabad Samay

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

રઘુનાથદાસજી શૈક્ષણિક સંકુલ અને જોય ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત મળી મતદાન જાગૃતિ આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ

Ahmedabad Samay

૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને અને ૩ ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને ટિકિટ નહીં : સી.આર. પાટીલ

Ahmedabad Samay

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો