કચ્છ કડવા પટેલ સમાજના 125 પરિવાર દ્વારા આયોધ્યા રામ મંદિર નિર્માણ માટે અંદાજે 20 લાખથી વધુ નિધિ સમર્પણ.
નરોડા કચ્છી કડવા પાટીદાર વાડીમાં મહંતશ્રી પવનકુમાર દાસજી, ફિલ્મ કલાકારશ્રી ભરતભાઈ ઠક્કર અને વીએચપીના ઉત્તર ગુજરાતના મહામંત્રી શ્રી અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ નરોડા કચ્છ કડવા પાટીદાર વાડીમાં મહંતશ્રી પાવનકુમાર દાસજીના આશીર્વાદ વચનથી અયોધ્યા રામ મંદિર નિધિ માટે કાર્યક્રમ યોજાયો. જેમાં ફિલ્મ કલાકાર ભરતભાઈ ઠકકર, વીએચપીના મહામંત્રીશ્રી અશોકભાઈ રાવલ અને કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ જયંતીભાઈ વિશેષ ઉપસ્થિત રહયા હતા.
