February 5, 2026
ગુજરાતઅપરાધ

કોતરપુર પોલીસ પોઇન્ટ થી નાના વહેપારીઓ થયા ત્રસ્ત, માસ્ક બાબતે પોલીસ અને યુવક વચ્ચે થઇ ઝપાઝપી

અમદાવાદના ગેલેક્સી અંદરબ્રિજ તરફ થી જતા કોતરપુર રોડ પાસે પોલીસ પોઇન્ટ થી પ્રજા અને નાના નાના વહેપારીઓ ખૂબ ત્રસ્ત છે ત્યાંથી રોજ નીકળતા વહેપારીઓ અનુસાર આ પોઇન્ટ ઉપર પોલીસ વાળા નાના નાના વેપારીઓ પાસેથી પણ માલ સામાન લઇ જતા રોકી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને હપ્તો ઉઘરવામાં આવે છે અહીંથી છારાનગરમાં દારૂ ભરેલી ગાડીઓ નીકળી જાય છે પણ નાના વહેપારીઓ ને જ પકડવામાં આવતા હોય છે શાકભાજી ભરેલી રીક્ષા ઓને રોકીને ચેકિંગના બહાને રોજ હેરાન પરેશાન કરવામાં આવે છે.

કોતરપુર પાસેથી સોમવારે સવારે વાહન પર પસાર થતા યુવકને માસ્ક બાબતે પોલીસે રોકી માથાકૂટ કરી હતી. જોકે આ દરમિયાન પોલીસ ઉશ્કેરાઈ અને યુવકની સાથે ઝપાઝપી કરી હતી. રસ્તે જતા લોકો આ જોઈ ઉશ્કેરાયા અને પોલીસને ટાર્ગેટ બનાવ્યા હતા. પોલીસ જીપમાં બે પોલીસ કર્મીઓ પુરાઈ ગયા અને ભાગી ગયા હતા. લોકોએ વધુ હોબાળો કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. આ અંગે એરપોર્ટ પીઆઈએ જણાવ્યું હતું કે, જેની સાથે મારમારી થઈ હતી તેની ફરિયાદ લેવાઈ રહી છે. જોકે પોલીસ કર્મી દારૂ પીધેલા હતા કે કેમ તે અંગે મેડિકલ તપાસ કરાવીશું.

ધારાસભ્ય વચ્ચે બોલતા તેમના પરજ અમૂકલોકોએ લગાવ્યો આરોપ

આ મામલાની ખબર પડતાં નરોડા વિધાનસભાના એમ.એલ.એ. બલરામ થાવાણી વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો પરંતુ, આ પીધેલા પોલીસ વાળા છે. ત્યારે ધારાસભ્ય બલરામ બોલ્યા કે, ચાર બીજા પીધેલા હતા.  * દારૂ પીધેલા છે અને ડ્યુટી કરો છો. ફોટો કાઢો…તેવામાં ટોળામાં અન્ય વ્યક્તિ બોલ્યો બલરામ ભાઈ દારૂ પીધેલા હતા.

પોલીસ કર્મીઓ પીધેલા હતા ધારાસભ્ય અને અન્ય લોકોની ફરિયાદ ધ્યાને લઇ તેમના સામે ફરિયાદ થઈ તો બીજેપીના ધારાસભ્ય બલરામ થાવાણી પણ પોલીસને ગાળો બોલતા વિડીયોમાં દેખાયા  હતા.

જેને પગલે તેમની સામે પણ ફરિયાદ થશે તેવી ચર્ચા ચાલી રહી  છે જોકે આ અંગે પણ સિનિયર અધિકારીઓ ને પૂછતાં તેવો પણ આ બાબત પર કઇ બોલવા તૈયાર નથી.

Related posts

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

Ahmedabad Samay

પરપ્રાંતીયો માટે કવચ સમાન આવ્યું ઉતરભારતીય વિકાસ પરિષદ

Ahmedabad Samay

ઝઘડિયામાં જંગલ રાજ..?હવેથી તારી ટ્રકો બંધ મારી ચાલુ, જો આવી તો સળગાવી દઈશું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા યુપી સરકારનો આભાર વ્યક્ત કરાયો

Ahmedabad Samay

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

Ahmedabad Samay

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો