May 12, 2026
ગુજરાત

અમદાવાદમાં મૃત્યુ દર ઘટ્યું, સંક્રમણ ની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. આમ છતાં કેસો સતત ઘટી રહ્યાં છે. જુલાઈ મહિનાના પ્રથમ 6 દિવસોમાંથી 4 દિવસ કોરોનાના નવા કેસો 200થી નીચે રહ્યાં છે. આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક પણ ઘટ્યો છે

અમદાવાદમાં સોમવારે નવા સામે આવેલા 183 કેસોમાંથી 168 કેસ શહેરમાંથી મળી આવ્યા છે, જ્યારે અન્ય 15 કેસ જિલ્લામાંથી નોંધાયા છે. અગાઉ રવિવારે પણ અમદાવાદમાં કોરોનાના નવા 177 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે એ દિવસે વધુ 8 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 રાજ્યમાં અનલૉકના બીજા તબક્કામાં પણ દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં 735 નવા કેસો સામે આવ્યા હતા, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સતત ત્રીજો દિવસ છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 700થી વધુ રહ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 36858 પર પહોંચી ચૂકી છે

Related posts

રથયાત્રા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે

Ahmedabad Samay

કોરોનાની બીજી લહેરમાં હેપ્પી હાઇપોકિસયા’ નો ખતરો, શું હેપ્પી હાઇપોકિસયાના કારણે થઇ રહ્યાં છે મોત?

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બની ફાયરીંગની ઘટના, SOG દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં અલર્ટ જાહેર,અમદાવાદ પોલીસ કમિશ્રર સંજય શ્રીવસ્તવ દ્વારા અલર્ટ જાહેર કરાયુ

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો