March 27, 2026
ગુજરાત

અમદાવાદમાં મૃત્યુ દર ઘટ્યું, સંક્રમણ ની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. આમ છતાં કેસો સતત ઘટી રહ્યાં છે. જુલાઈ મહિનાના પ્રથમ 6 દિવસોમાંથી 4 દિવસ કોરોનાના નવા કેસો 200થી નીચે રહ્યાં છે. આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક પણ ઘટ્યો છે

અમદાવાદમાં સોમવારે નવા સામે આવેલા 183 કેસોમાંથી 168 કેસ શહેરમાંથી મળી આવ્યા છે, જ્યારે અન્ય 15 કેસ જિલ્લામાંથી નોંધાયા છે. અગાઉ રવિવારે પણ અમદાવાદમાં કોરોનાના નવા 177 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે એ દિવસે વધુ 8 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 રાજ્યમાં અનલૉકના બીજા તબક્કામાં પણ દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં 735 નવા કેસો સામે આવ્યા હતા, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સતત ત્રીજો દિવસ છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 700થી વધુ રહ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 36858 પર પહોંચી ચૂકી છે

Related posts

હિન્દુ ધર્મની અને હિન્દુઓ પોતાની રક્ષા કરી શકે તે માટે મફત સેવા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

Ahmedabad Samay

RTE માં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૭૦૦ બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો

Ahmedabad Samay

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો