May 10, 2026
Other

રાજા રઘુવંશીની મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, સુહાગરાત મનાવવા પહેલા રાખી એક શરત

રાજા રઘુવંશીના મોત મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. રાજા રઘુવંશીની મોતનો આરોપ તેની પત્ની સોનમ રઘુવંશી પર છે. રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા હતા. જે બાદ તેઓ 21 મેના શિલોંગ પહોંચ્યા હતા અને 23 મેના રોજ રાજાની હત્યા કરી દેવામાં આવી હતી. 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ ખીણમાં પડેલો મળ્યો હતો. હવે પતિના આરોપસર ધરપકડ કરાયેલી સોનમ રઘુવંશી વિશે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.

મેઘાલય પોલીસના જણાવ્યા પ્રમાણે, સોનમ હનીમૂન મનાવવા માટે નહીં પણ રાજાને તેની હત્યા કરવા માટે શિલોંગ લઈ ગઈ હતી. સોનમ તેની ઇચ્છા વિરુદ્ધ આ લગ્નથી ખુશ નહોતી અને તેથી તે રાજાને તેની નજીક આવતા સતત રોકી રહી હતી.  રાજાને તેની નજીક આવતા અટકાવવા માટે તેણીએ કામાખ્યા દેવીના દર્શન કરવાની શરત મૂકી હતી.

લગ્ન પછી સોનમ 4 દિવસ તેના સાસરિયામાં રહી હતી. આ પછી તે તેના પિયરમાં આવી ગઈ હતી. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સોનમે સાસરિયામાં રહીને તેના પ્રેમી રાજને મેસેજ કરીને જણાવ્યું હતું કે, તેણીને રાજાનો સ્પર્શ કરવો પસંદ નથી.

હનીમૂન ટ્રીપ માટે રાજા લગ્ન પછી તરત જવા માટે તૈયાર ન હતો. પરંતુ સોનમે તેને કહ્યા વિના ટિકિટ બુક કરાવીને તેને મનાવી લીધો હતો. સોનમે કથિત રીતે રાજાને કહ્યું હતું કે, તે પહેલા દેવી કામાખ્યાના દર્શન કરશે અને તે પછી જ તે તેની સાથે સંબંધ બનાવશે.

સોનમ હત્યાની તૈયારી અને કોન્ટ્રાક્ટ કિલર્સના શિલોંગ પહોંચવા માટે સમય પસાર કરવા માંગતી હતી.રાજાના મોત બાદ કિલર્સ સોનમના પિતા સાથે પણ જોવા મળ્યા હતા

Related posts

ગોવાની એક સ્‍કૂલની હિંદુ છોકરીઓને હિજાબ પહેરીને મસ્‍જિદમાં લઈ જવાનો અને તેમને વજૂ કરાવવાનો કિસ્‍સો સામે આવ્‍યો

Ahmedabad Samay

આ વખતે કોંગ્રેસના ‘ચાણક્ય’ અશોક ગેહલોતની ચતુરાઈના કારણે ભાજપનું મિશન 25 અધૂરું રહી શકે છે.

Ahmedabad Samay

કોરોના મહામારી આવી ત્યારથી સખ્તાઇ પૂર્વક બધું બંધ કરવામાં આવી રહ્યું છે તો દેશી દારૂ કેમ નહિ ? ઓક્સિજન નું કામ પણ બુટલેગરો સોપો કદી અછત નહિ પડે

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ લોકો મીઠાઈ વહેંચવામાં આવી

Ahmedabad Samay

આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવશે

Ahmedabad Samay

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ફ્લાવર શૉ-2024′ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો