August 12, 2026
Auto
ગુજરાત

ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

અમદાવાદમાં મોડી રાતથી રિક્ષાચાલકોની હડતાળને કારણે શહેરના વાહનવ્યવહાર પર મોટી અસર પડશે. ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા આજે મધરાતથી રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. આ આંદોલનમાં શહેરની અંદાજે ૨.૫૦ લાખ જેટલી રિક્ષાઓના પૈડા થંભી જશે, જેના કારણે લાખો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પોલીસની કાર્યવાહી સામે રિક્ષાચાલકોના આકરા આક્ષેપો
રિક્ષાચાલકોનો મુખ્ય આક્ષેપ છે કે, ટ્રાફિક પોલીસ મેમો આપવાના બદલે સીધી રિક્ષાઓ જપ્ત કરી રહી છે. રિક્ષા જપ્ત થયા બાદ ચાલકોને જામીન લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેમને આર્થિક અને માનસિક રીતે હેરાનગતિ ભોગવવી પડે છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે, પોલીસ પોતાના “ટાર્ગેટ” પૂર્ણ કરવા માટે તેમને અન્યાયી રીતે હેરાન કરી રહી છે.
તેમનો વધુ એક મોટો આરોપ એ છે કે, આ કાર્યવાહી માત્ર રિક્ષાચાલકો સામે જ થઈ રહી છે, જ્યારે ઓલા, ઉબેર, રેપિડો સહિતના અન્ય વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જે સ્પષ્ટ ભેદભાવ દર્શાવે છે. કેટલાક રિક્ષાચાલકોએ તો એવો પણ દાવો કર્યો છે કે, તેમની પાસે માન્ય લાયસન્સ હોવા છતાં, તેમને લાયસન્સ ન હોવાનું કહીને રિક્ષા જપ્ત કરવામાં આવી રહી છે.
પોલીસ કમિશનરને પત્ર અને બંધની અપીલ
આ મામલે રિક્ષાચાલક એસોસિએશને પોલીસ કમિશનરને એક પત્ર લખીને કાર્યવાહી રોકવા માટે આજે રાત્રે ૧૨ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો, મધરાતથી અમદાવાદની તમામ રિક્ષાઓ બંધ રહેશે. એસોસિએશને શહેરના તમામ રિક્ષાચાલકોને આ બંધને સમર્થન આપવા માટે અપીલ કરી છે, જેથી તેમની સમસ્યાઓનો ઉકેલ આવી શકે.
આ હડતાળને કારણે આવતીકાલથી અમદાવાદમાં જાહેર પરિવહનની એક મહત્વપૂર્ણ કડી ખોરવાઈ શકે છે, અને તેનાથી સામાન્ય જનજીવન પર વ્યાપક અસર થવાની સંભાવના છે.

Related posts

એક તરફ જીગ્નેશ મેવાણી દારૂ બંધી પર આંદોલ ચલાવે ત્યારે સરકાર બીજી તરફ રાજય સરકાર દારૂબંધી હળવી કરવા રાજય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિર યોજી રહ્યા છે

Ahmedabad Samay

ગુજરાતમાં અમદાવાદ બની શકે છે પ્રથમ વખત 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનું સાક્ષી

Ahmedabad Samay

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

Ahmedabad Samay

જીમ લોન્જની ૧૪મી બ્રાન્ચ હવે સાઉથ બોપલમાં,ધ ગ્રેટ ખલી કરશે ઉદ્ઘાટન

Ahmedabad Samay

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

વિદ્યાનિકેતન સ્કૂલમાં યોજાયેલ ચેસ સ્પર્ધામાં ધ્વનિતી પ્રજાપતિ આવ્યો પ્રથમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો