June 14, 2026
ગુજરાત

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે ભાવનગરમાં, અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભાવનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ હતું. આ તકે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આત્‍મનિર્ભર પર ભાર મુકયો હતો અને લોકોને સ્‍વદેશી વસ્‍તુઓ અપનાવવા અપીલ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કહયું હતું કે, આજે ભાવેણા-ભાવનગરે વટ પાડી દીધો છે.

વડાપ્રધાન મોદીએ રોડ શો પણ કર્યો હતો જેમાં લાખોની મેદના તેમની એક ઝલક જોવા એકત્રિત થઇ હતી, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ભારતને જો ૨૦૪૭ સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્‍મનિર્ભર બનવું પડશે. આત્‍મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્‍પ નથી. ૧૪૦ કરોડ દેશવાસીઓએ એક સંકલ્‍પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.પીએમ મોદીએ આજે ભાવનગરમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્‍યાસ કર્યા. તેમણે બાદમાં વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત થયેલી જનમેદનીને સંબોધિત કરી. પીએમ મોદીએ તેમની આગવી સ્‍ટાઇલમાં સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે ભાવનગરવાળાએ તો આજે વટ પાડી દીધો અને  તેમના જન્‍મ દિવસે શુભકામના પાઠવનારાઓનો આભાર માન્‍યોઅને કહ્યું આ પ્રેમ મારી શક્‍તિ છે.

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, હવે વ્‍યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય છે. તેમણે કહ્યું કે, તાજેતરના મોનસૂન સત્ર દરમિયાન સંસદમાં અમે અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઘણા જૂના કાયદાઓને બદલ્‍યા છે. મેરીટાઇમ સેક્‍ટરમાં પણ સુધારા કરવામાં આવ્‍યા છે. આ નવા કાયદાઓથી શિપિંગ સેક્‍ટરમાં મોટો બદલાવ આવવાની શકયતા છે, જે આ ક્ષેત્રને વધુ ગતિ આપશે.

Related posts

ત્રીજી ટર્મના મંત્રીમંડળમાં ગુજરાત માંથી કોનો સમાવેશ થાય થયા તે અંગે અંગે અટકળો તેજ બની

Ahmedabad Samay

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

Ahmedabad Samay

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

દેશમાં કોરોના થી મૃત્યુ દરમાં અમદાવાદ સૌથી મોખરે, કોરોના થી અમદાવાદમાં સૌથી વધુ ડેથ,

Ahmedabad Samay

RSS ને ૧૦૦ વર્ષ પૂર્ણ,અમદાવાદ ખાતે ‘‘સંઘની શતાબ્‍દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલના બે માળના બેઝમેન્ટમાંથી નીચેના પાર્કિંગ બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો