June 24, 2026
ગુજરાત

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

GISF ના જવાન અને અમદાવાદ સમયના તંત્રી શ્રી વિશાલ પાટનકરના પિતા સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી તેમની હયાતી સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

અમદાવાદમાં બનેલી સૌથી મોટી ઘટના એટલે AI171 ફ્લાઇટ ક્રેશ જે અમદાવાદ અને ગુજરાતમાં યાદગાર ઘટના બની હતી , જેને લીધે ઘણા મુસાફરો અને પ્લેન ક્રેશ વાળા સ્થાન પર નોકરી પર ફરજ બજાવતા અને ત્યાંથી પસાર થતા રાહદારીઓના પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા હતા,

આ ઘટનામાં અતુલમ-૪ માં GISF માં ફરજ બજાવતા રાજેન્દ્રભાઇ પાટનકર પણ તે ઘટનાના શિકાર બનેલા હતા જેમનું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામ્યા હતા, તેમના અવસાન થી તેમના પરિવારજનો અને GISF ના સ્ટાફમાં દુઃખની લાગણી પ્રસરી હતી, GISF દ્વારા તેમને ગાર્ડઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું હતું અને સન્માન આપવામાં આવ્યું હતું,

GISF ના અધિકારી ઠાકુર સાહેબ, મારૂ સાહેબ, મિશ્રા સાહેબ, હિતેશ વાળનંદ અને ESIC ના અધિકારી શ્રી સોલંકી સાહેબ અને ધવલભાઇના સતત મહેનત  બાદ આજ સ્વ.રાજેન્દ્ર પાટનકર ના ધર્મ પત્ની ને ESIC માંથી આજીવન પેંશન શરૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર પાટનકરના પરિવાર તરફે ESIC અને GISFના અધિકારીઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related posts

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

નવા નરોડા વિસ્તારમાં આવેલી ૮ જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક ‘ચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -3’ આજ થી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો