August 8, 2026
ગુજરાત

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

GISF ના જવાન અને અમદાવાદ સમયના તંત્રી શ્રી વિશાલ પાટનકરના પિતા સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી તેમની હયાતી સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

અમદાવાદમાં બનેલી સૌથી મોટી ઘટના એટલે AI171 ફ્લાઇટ ક્રેશ જે અમદાવાદ અને ગુજરાતમાં યાદગાર ઘટના બની હતી , જેને લીધે ઘણા મુસાફરો અને પ્લેન ક્રેશ વાળા સ્થાન પર નોકરી પર ફરજ બજાવતા અને ત્યાંથી પસાર થતા રાહદારીઓના પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા હતા,

આ ઘટનામાં અતુલમ-૪ માં GISF માં ફરજ બજાવતા રાજેન્દ્રભાઇ પાટનકર પણ તે ઘટનાના શિકાર બનેલા હતા જેમનું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામ્યા હતા, તેમના અવસાન થી તેમના પરિવારજનો અને GISF ના સ્ટાફમાં દુઃખની લાગણી પ્રસરી હતી, GISF દ્વારા તેમને ગાર્ડઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું હતું અને સન્માન આપવામાં આવ્યું હતું,

GISF ના અધિકારી ઠાકુર સાહેબ, મારૂ સાહેબ, મિશ્રા સાહેબ, હિતેશ વાળનંદ અને ESIC ના અધિકારી શ્રી સોલંકી સાહેબ અને ધવલભાઇના સતત મહેનત  બાદ આજ સ્વ.રાજેન્દ્ર પાટનકર ના ધર્મ પત્ની ને ESIC માંથી આજીવન પેંશન શરૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર પાટનકરના પરિવાર તરફે ESIC અને GISFના અધિકારીઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related posts

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

જાન્યુઆરી-૨૦૨૪, ૨ સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શકવાની શક્યતાઓ,કમોસમી વરસાદની સંભાવના

Ahmedabad Samay

આગામી 28 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, CM ભુપેન્દ્ર પટેલે તંત્રને સતર્ક રહેવા જણાવ્યું

Ahmedabad Samay

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો