June 27, 2026
ગુજરાતધર્મ

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. જેમાં 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો હતો. આટલી મોટી સંખ્યામાં કન્યાઓના પુજનની ઘટના સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત નોંધાતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. હિંદુ શાસ્ત્રો મુજબ કુંવારી કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 1111 કન્યાઓનું પૂજન કરીને તેમના આશિર્વાદ મેળવાયા હતા.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) અને બનાસકાંઠા બ્રહ્મસમાજની ટીમ અને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં એક અવિસ્મરણીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતાજીના પ્રાંગણમાં બાળ કન્યાઓના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

1111 થી વધુ કન્યાઓનું ભવ્ય પૂજન કરીનેને વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો હતો. અત્રેઉલ્લેખનીય છે કે, કુંવારિકા કન્યાઓને માતાજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેમનું પુજન કરવા તથા તેમને ભોજન કરાવવાનો અનોખો મહિમાં છે.
આ કાર્યક્રમમાં હિંદુ શાસ્ત્રો અનુસાર કુંવારીકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 1111 કન્યા પૂજન કરીને તેમના આશીર્વાદ મેળવાયા હતા. આ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમમાં 1111 થી પણ વધારે બાળ કન્યાઓની પૂજા કરવામાં આવી હતી. કન્યાઓને આશીર્વાદ આપી તેમને ચણીયાચોળી તથા શ્રુંગારની કીટ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત કન્યાઓના પૂજન બાદ તમામને ભોજન પણ કરાવાયું હતું.
આ આયોજનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ નોંધ લેવામાં આવીહ તી. સમગ્ર ગુજરાતમાં અગાઉ આટલું મોટું કન્યા પુજન ક્યાંય પણ થયું નથી. જે ગુજરાત અને બનાસકાંઠા માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે અંબાજી ગ્રામ પંચાયતનાં સરપંચ કલ્પનાબેન દવેએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા અપાયેલું સર્ટિફિકેટ સ્વિકાર્યું હતું.

Related posts

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં નેશનલ ટ્રોમા મેનેજમેન્ટ કોર્સ યોજાયો

Ahmedabad Samay

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં જિલ્લામાં આ સિઝનમાં વરસાદ ઓછો, 6 તાલુકામાં 50 ટકા પણ વરસાદ નથી પડ્યો

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મેઘાણીનગર ખાતે હોળી પર્વ નિમિતે ” તિલક હોળી” નું આયોજન કરાયું

Ahmedabad Samay

ચૈત્ર નવરાત્રી પર ગ્રહોનો પંચ રાજયોગ થશે, આ રાશિઓ માટે લોટરી લાગશે; ઘરમાં અઢળક ધન હશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો