અમદાવાદની કોવિડ સોલા સિવિલ હોસ્પિટલમાથી ફરજ બજાવી પરત ફરેલા અને કોરોના પોઝિટિવ જાહેર થયેલ મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ આજરોજ નેગેટિવ આવેલ છે.
ડો. સંજય જીવાણી મોરબી તાલુકાના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ અમદાવાદથી આવીને અહીંની હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન થઈ ગયા હતા. જેથી તેઓના સંપર્કમાં કોઈ આવ્યું ન હતું. આજરોજ તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવી જતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે.
