May 13, 2026
દેશરાજકારણ

નવાદાથી જેડીયૂ ધારાસભ્ય વિભા દેવી શપથ પત્ર વાંચી શક્યા નહિ, શું હવે આવા નેતા ચલાવશે દેશ ?

બિહારમાં નીતિશ સરકારના ગઠન બાદ સોમવાર ૧૮મી વિધાનસભાનું પ્રથમ સત્ર આયોજન થયું. જ્યાં કેટલાય નવા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. જ્યારે જેડીયૂ ધારાસભ્ય વિભા દેવીના શપથ લેવાનો વારો આવ્યો તો આ નજારો જોવા જેવો હતો.

નવાદાથી જેડીયૂ ધારાસભ્ય વિભા દેવી શપથ પત્ર વાંચી શક્યા નહોતા. આ ઘટનાએ નેતાઓની ક્ષમતા, જનતાની પસંદગી અને લોકતાંત્રિક મૂલ્યો પર ગંભીર સવાલ ઊભો કરી દીધો છે.

બિહાર વિધાનસભા તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વિભા દેવી શપથ પત્ર પણ વાંચી શકતા નથી. તેઓ વારંવાર અટકી અટકીને વાંચે છે. માંડ માંડ અમુક શબ્દો વાંચી શકે છે. એટલે કે તૂટેલા ફૂટેલા શબ્દોમાં શપથ પત્ર વાંચતા દેખાઈ રહ્યા છે. એટલું જ જ્યારે તેઓ વચ્ચે ફસાયા તો તેમની બાજુમાં બેઠેલા ધારાસભ્ય મનોરમા દેવીએ વાંચીને તેમની મદદ કરી હતી.

વિભા દેવીનું રાજકારણ કોઈ વિચારધારા, સામાજિક કામ કે લોકતાંત્રિક સંઘર્ષમાંથી નથી આવ્યા, પણ તેમના પતિ અને બાહુબલિ છબિ ધરાવતા રાજવલ્લભ યાદવના પ્રભાવથી આવ્યા છે. ગંભીર કેસોમાં જેલમાં જઈ ચૂકેલા રાજવલ્લભ યાદવની રાજનીતિક પકડએ તેમને ટિકિટ અપાવી અને વિધાનસભા સુધી પહોંચાડ્યા.

આ જ વ્યવસ્થા આજે ભારતીય રાજનીતિને નબળી પાડી રહી છે, જ્યાં સિદ્ધાંત, શિક્ષણ અને ક્ષમતાની જગ્યાએ વંશવાદ, જાતિ સમીકરણ અને ધનબળ નક્કી કરે છે કે કોણ તમારા ધારાસભ્ય બનશે.શુ હવે આવા લોકો દેશ ચલાવશે ??

જ્યારે કોઈ નેતા યોગ્ય રીતે વાંચી પણ નથી શકતા, તો સીધેસીધું લોકતંત્ર પર મોટો સવાલ છે. તેનાથી ખબર પડે છે કે જનતાનો વોટ કયા આધાર પર પડી રહ્યા છે. જ્યારે સમાજ શિક્ષણ અથવા નીતિની જગ્યાએ જાત-પાત, પ્રેશર અથવા ભયને પ્રાથમિકતા આપે, તો વિધાનસભામાં આવી ઘટનાઓ આવતી જ રહેશે.

Related posts

કોંગ્રેસની મહિલા કાર્યકર્તા ખુશી યાદવ પહોંચી ખેડૂત આંદોલનને સમર્થનમાં

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન.

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Ahmedabad Samay

રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર: ૨૭મીએ નરેન્દ્ર મોદી રાજકોટના આંગણે, કરશે ૨૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો