July 4, 2026
દુનિયાદેશરાજકારણ

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ ઉષ્માભર્યા હાથ મિલાવ્યા અને એકબીજાને ભેટી પડ્યા. એરપોર્ટ પર પુતિનનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું, જેમાં કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું. ત્યારબાદ પીએમ મોદી અને પુતિન એરપોર્ટથી વડા પ્રધાનના નિવાસસ્થાન સુધી એક જ કારમાં મુસાફરી કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ કહ્યું છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિનું સ્વાગત કરીને ખુશ છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે કહ્યું, “હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનું દિલ્હીમાં સ્વાગત કરીને ખુશ છું. હું આજે સાંજે અને આવતીકાલે આપણી મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું. ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે, જેનો લાભ બંને દેશોના લોકોને મળ્યો છે.” પ્રધાનમંત્રીએ રશિયન રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રાષ્ટ્રપતિ પુતિનનો આ પહેલો ભારત પ્રવાસ છે. તેઓ ચાર વર્ષ પછી પાછા ફર્યા છે. પીએમ મોદી આજે રાત્રે પુતિનના સન્માનમાં ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે. આ મુલાકાત બંને દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુતિન 23મા ભારત-રશિયા સમિટમાં ભાગ લેવા માટે ભારતમાં પહોંચ્યા હતા, જે બંને દેશો વચ્ચે વાર્ષિક બેઠક છે. પુતિન વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન, બંને નેતાઓ તેલથી લઈને S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી અને મુક્ત વેપાર કરાર (FTA) જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.

અહીં, પીએમ મોદી પ્રોટોકોલ તોડીને રશિયન રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા. પીએમ મોદીના આ પગલાથી રશિયા પણ આશ્ચર્યચકિત થયું. ક્રેમલિને દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આની અપેક્ષા રાખતા ન હતા. ક્રેમલિને ઉમેર્યું હતું કે ભારતીય પક્ષે અગાઉ જાણ કરી ન હતી કે વડા પ્રધાન વ્યક્તિગત રીતે એરપોર્ટ પર પહોંચશે. રશિયાએ આને આદર અને મિત્રતાના પ્રતીક તરીકે જોયું.

Related posts

પાકિસ્તાનમાં હિન્દુઓ ની દયનિય સ્થિતિ, પાકિસ્તાનમાં મેઘવાલ પરિવારનું ક્રૂરતા પૂર્વક હત્યા

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

જુનાગઢ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ચૂંટણી પૂર્વે જ ભાજપને પછડાટ

Ahmedabad Samay

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો, શેખ હસીના રાજીનામુ આપી દિલ્હી આવ્યા અને હવે લંડન જશે

Ahmedabad Samay

પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો