May 15, 2026
ગુજરાત

અમદાવાદ થી ગાંધીનગર મેટ્રો રૂટ, સમય અને ટિકિટનો દર

વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ છે. મોટેરાથી ગાંધીનગર ફેઝ 2 મેટ્રો રેલનો આરંભ કરતાં પહેલાં વડાપ્રધાન મોદીએ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેની સુવિધાઓ સહિત અન્ય વિસ્તૃત માહિતી મેળવી હતી. મેટ્રો રેલનો આરંભ કરાવી વડાપ્રધાન મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સીટી સુધીની મુસાફરી કરી હતી.

હાલમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ જ શરુ કરવામાં આવેલ છે. તેમજ મહાત્મા મંદિર સુધીના રૂટ પરની કામગીરી હાલમાં ચાલુ છે. જેના કારણે આ રૂટ પર ટૂંક સમયમાં મેટ્રો દોડતી જોવા મળશે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની મેટ્રો ટ્રેન સવારે 7:20 થી લઇને સાંજના 7:20 કલાક સુધી કાર્યરત રહેશે.

આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી લઈને ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને મુસાફરોને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ સારા પ્રમાણમાં વેગ મળશે.

આ ફેઝ કુલ 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે, તેની ટિકિટ માત્ર 35 રૂપિયા છે.

પ્રવાસીઓની સલામતી માટે ઈમરજન્સી ટેલિફોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ , પેસેન્જર્સ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ વિગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. તેમજ દિવ્યાંગો માટે પણ મેટ્રોની સુવિધાનો લાભ લઈ શકે તે માટે રેમ્પ અને વ્હીલચેરની સુવિધા આપવામાં આવી છે.

Related posts

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

Ahmedabad Samay

લગ્નની જાન લઇને આવતા જાનૈયાઓને અટકાવાતા જાનૈયાઓએ વેજલપુર પોલીસ ઉપર હૂમલો કર્યો

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

પંચમહાલ – પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ

Ahmedabad Samay

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

સુરેન્દ્રનગર ડેપો ખાતે ત્રણ નવીન બસોનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો