ભારતની આર્થિક રાજધાની મુંબઈ માટે ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી વિધિવત રીતે વ્યાપારિક વિમાની સેવાઓનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ધાટન કર્યા બાદ, આ એરપોર્ટ હવે મુસાફરો માટે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયું છે.
પ્રથમ ફલાઈટનું ભવ્ય સ્વાગત
નવી મુંબઈ એરપોર્ટના રનવે પર પ્રથમ કમર્શિયલ ફલાઈટ તરીકે ઇન્ડિગોનું વિમાન લેન્ડ થયું હતું. પરંપરા મુજબ વિમાનને ‘વોટર કેનન સેલ્યુટ’ (પાણીની બોછાર) આપીને વધાવવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને એરપોર્ટ સ્ટાફ દ્વારા તેમને ફૂલ અને મીઠાઈ આપીને આવકારવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલું આ એરપોર્ટ આધુનિક ટેકનોલોજી અને ભારતીય સંસ્કૃતિનું અદભૂત મિશ્રણ છે. એરપોર્ટની ડિઝાઈન અને વિશેષતાઓ
આ એરપોર્ટની સૌથી મોટી વિશેષતા તેની ‘કમળ’ આકારની ડિઝાઈન છે. ટર્મિનલ ભવનને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તે ભારતના રાષ્ટ્રીય ફૂલની પ્રતિકૃતિ જેવું લાગે છે. આ એરપોર્ટ પર પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં સોલર એનર્જી અને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
કનેક્ટિવિટી અને મુસાફરોને ફાયદો
આ એરપોર્ટ શરૂ થવાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પરનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે. નવી મુંબઈ, પુણે અને થાણેના મુસાફરોને હવે મુંબઈના ટ્રાફિકમાં ફસાયા વગર સીધી ફલાઈટ મળી રહેશે. ભવિષ્યમાં આ એરપોર્ટને મેટ્રો, હાઈવે અને વોટર ટેક્સી (દરિયાઈ માર્ગ) સાથે જોડવામાં આવશે, જેથી મુસાફરી વધુ ઝડપી બનશે.
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (એનએમઆઈએ) પર જ્યારે પ્રથમ વ્યાપારિક ઉડાનનું લેન્ડિંગ થયું, ત્યારે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને અદાણી એરપોર્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જીત અદાણીએ સ્વયં હાજર રહીને આ ઐતિહાસિક દિવસને મુસાફરો માટે ખાસ બનાવ્યો હતો.
મુસાફરો સાથેનો સીધો સંવાદ અને સેલ્ફી
એરપોર્ટના ટર્મિનલ પર પ્રથમ ફલાઈટમાંથી ઉતરેલા મુસાફરો માટે આ એક સુખદ આヘર્ય હતું. ગૌતમ અદાણીએ દરેક મુસાફરનું વ્યક્તિગત રીતે અભિવાદન કર્યું હતું. તેમણે માત્ર હાથ મિલાવીને સ્વાગત જ નહોતું કર્યું, પરંતુ મુસાફરો સાથે વાતચીત કરીને એરપોર્ટની સુવિધાઓ વિશે તેમનો પ્રતિસાદ પણ લીધો હતો.
ખાસ કરીને સોશિયલ મીડિયા પર એ તસવીરો ખૂબ વાયરલ થઈ હતી જેમાં ગૌતમ અદાણી અને જીત અદાણી મુસાફરો સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ સાદગી અને આત્મીયતાએ મુસાફરોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો.
જીત અદાણીનું નેતૃત્વ અને વિઝન
અદાણી એરપોર્ટ્સના સમગ્ર પ્રોજેક્ટમાં જીત અદાણીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ઉદ્ધાટન સમયે તેમણે જણાવ્યું હતું કે, આ એરપોર્ટ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પરંતુ ગ્રાહકોના અનુભવને પ્રાધાન્ય આપતું એક આધુનિક કેન્દ્ર છે. તેમણે પ્રથમ ફલાઈટના બોર્ડિગ પાસ ચેક કરવામાં અને મુસાફરોને ગિફટ હેમ્પર્સ આપવા જેવી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
સ્વાગત સમારોહની મુખ્ય વિગતો
પ્રથમ દિવસે મુસાફરી કરનાર દરેક વ્યક્તિને ખાસ ડિઝાઇન કરેલું સ્મૃતિચિホ અને મીઠાઈના બોક્સ અર્પણ કરવામાં આવ્યા હતા.
વોટર કેનન સેલ્યુટઃ જ્યારે વિમાન રનવે પર આવ્યું, ત્યારે ગૌતમ અને જીત અદાણીએ એટીસી ટાવરની નજીક રહીને આ ભવ્ય નજારો નિહાળ્યો હતો.
કર્મચારીઓનો ઉત્સાહઃ અદાણી પિતા-પુત્રની હાજરીને કારણે એરપોર્ટ પર કાર્યરત ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષા કર્મીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગૌતમ અદાણીની હાજરીઃ અદાણી ગ્રુપના વડાએ પ્રથમ મુસાફરોનું રેડ કાર્પેટ સ્વાગત કર્યું.
જીત અદાણીની ભૂમિકાઃ એરપોર્ટના સંચાલન અને પેસેન્જર અનુભવને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
મુસાફરોનો અનુભવઃ મુસાફરોએ અદાણી પરિવારની સાદગી અને એરપોર્ટની વિશ્વસ્તરીય સુવિધાઓની પ્રશંસા કરી. ગૌતમ અદાણીએ મુસાફરો સાથે લીધેલી સેલ્ફી આ પ્રોજેક્ટની સફળતાનું પ્રતીક બની.

