May 21, 2026
તાજા સમાચારદેશ

બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારી સામે આવી

મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ હવે માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારીના પુરાવાઓ બહાર આવી રહ્યા છે. આ અકસ્માતની પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશ પ્રવાસન નિગમની ગંભીર બેદરકારી ઉઘાડી પડી છે, જેમાં હવામાન વિભાગની આગોતરી ચેતવણી હોવા છતાં મુસાફરો ભરેલા ક્રુઝને ઊંડા પાણીમાં ઉતારી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, જોખમી મુસાફરી હોવા છતાં સુરક્ષાના પાયાના નિયમોને નેવે મૂકી પ્રવાસીઓને લાઈફ જેકેટ જેવી અનિવાર્ય સુવિધા પણ પૂરી પાડવામાં આવી નહોતી, જે અંતે અનેક લોકો માટે જળસમાધિનું કારણ બની.

તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે હવામાન વિભાગ દ્વારા પ્રી-એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ક્રુઝને સહેલગાહ માટે પરવાનગી આપવામાં આવી હતી. સ્ટાફે ટેકનિકલ રિપોર્ટ્સને બદલે માત્ર મોબાઈલની સામાન્ય માહિતી અને પોતાના અંદાજ પર ભરોસો રાખીને 40થી વધુ પ્રવાસીઓના જીવ જોખમમાં મૂક્યા હતા.

નિયમ મુજબ, પાણીમાં મુસાફરી શરૂ કરતા પહેલા દરેક પ્રવાસીને લાઈફ જેકેટ પહેરાવવું અને સુરક્ષા સૂચનાઓ આપવી ફરજિયાત છે. જોકે, વાયરલ વિડિયો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ક્રુઝમાં લાઈફ જેકેટ હતા, પરંતુ તે પ્રવાસીઓને આપવામાં આવ્યા નહોતા. જે ગણ્યા-ગાંઠ્યા લોકોએ જાતે જેકેટ પહેર્યા હતા, માત્ર તેઓ જ પોતાનો જીવ બચાવી શક્યા હતા.

 

સુરક્ષાના સ્ટાન્ડર્ડસ મુજબ દર 10-15 પ્રવાસીએ એક લાઈફ સેવર હોવો જોઈએ. પરંતુ આ ક્રુઝ પર કેપ્ટન સિવાય માત્ર એક જ કર્મચારી હાજર હતો. આટલી મોટી સંખ્યામાં મુસાફરો સામે માત્ર બે કર્મચારીઓ કટોકટીના સમયે બચાવ કામગીરી કરવા માટે સાવ અક્ષમ હતા.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની હતી. આ ક્રુઝ મહત્તમ 30 કિમીની ગતિ સહન કરવાની ક્ષમતા ધરાવતું હતું. જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે 20 વર્ષ જૂનું આ ક્રુઝ મોજાં અને પવનના દબાણ સામે ટકી શક્યું નહીં અને ઊંધું વળી ગયું.

મેકલ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું છે કે ક્રુઝ પર 43 પ્રવાસીઓ સવાર હતા. શંકા સેવાઈ રહી છે કે કેટલાક લોકો ટિકિટ લીધા વગર જ ક્રુઝ પર ચઢી ગયા હતા, જેના કારણે ક્રુઝના વજનનું સંતુલન પણ જોખમાયું હોઈ શકે છે.

બચી ગયેલા મુસાફરોએ રડતા રડતા જણાવ્યું કે, જ્યારે આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને પવન શરૂ થયો, ત્યારે અમે કેપ્ટનને કગરીને વિનંતી કરી હતી કે ક્રુઝ પાછું વાળી લો. પરંતુ કેપ્ટને પ્રવાસીઓની વાત સાંભળવાને બદલે ક્રુઝને મોજાંની વચ્ચે ધકેલી દીધું હતું.

Related posts

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા 26 વર્ષીય ગુલવીરે 28 મિનિટ 38.63 સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ જીત્યો

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાની આજે થઇ શાનદાર જીત,ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે.

Ahmedabad Samay

અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ બંદર પર ૦૧ નંબરનું અને વેરાવળમાં ૦૨ નંબરનું સિગ્નલ લગાવાયુ

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

ભારતીય સેનાને ચીન વિરૂદ્ધ ગમે તેવી કડક કાર્યવાહી કરવા આપી છૂટ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો