March 21, 2025
ગુજરાત

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળી ગયુ છે. હવે આ વાવાઝોડુ ગુજરાત નહિં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં  આવી છે. રાજયમાં વાવાઝોડાને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડુ આવતીકાલે ૩ જૂનના બુધવારે બપોરે રાયગઢ અને દમણ વચ્ચેથી વાવાઝોડુ  પસાર થઈ જશે.

હવામાન વિભાગ દ્વારા રાજયના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે ગુજરાતમાં ૧૦૦ થી ૧૨૦ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જયારે રાજયના તાપી, ડાંગ અને નર્મદામાં  ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે વાવાઝોડાની  સૌરાષ્ટ્રમાં જરા પણ અસર જોવા મળશે નહિં. સુરતથી ૯૦૦ કિ.મી. દૂર અરબ સાગરમાં ઉદ્દભવેલી ડિપ્રેશન સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં સાઈકલોન સ્ટ્રોમ તરીકે વિકસીત થશે.

આ વાવાઝોડુ આજે દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી પસાર થવાની શકયતા રહેલી છે. જેની અસર દક્ષિણ ગુજરાત પર  રહેશે. ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. સુરત જિલ્લામાં આવતીકાલે સાંજે ૭૦ કિ.મી.થી લઈને ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે માછીમારોને  તા.૪ જૂન સુધી દરીયો નહિં ખેડવા માટે સુચના આપવામાં આવી છે. જયારે ડુમસ, સુવાલી, ડભારીના દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

Related posts

વડોદરા: સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા પર લાઇટિંગ કરવાનો આટલા લાખનો ખર્ચ! રાજ્ય સરકાર આપશે ગ્રાન્ટ

Ahmedabad Samay

સેનાના જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

Ahmedabad Samay

ચૂંટણી પંચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય લીધો

Ahmedabad Samay

એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ ગભરાઈ ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો