June 22, 2026
ગુજરાત

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળી ગયુ છે. હવે આ વાવાઝોડુ ગુજરાત નહિં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં  આવી છે. રાજયમાં વાવાઝોડાને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડુ આવતીકાલે ૩ જૂનના બુધવારે બપોરે રાયગઢ અને દમણ વચ્ચેથી વાવાઝોડુ  પસાર થઈ જશે.

હવામાન વિભાગ દ્વારા રાજયના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે ગુજરાતમાં ૧૦૦ થી ૧૨૦ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જયારે રાજયના તાપી, ડાંગ અને નર્મદામાં  ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે વાવાઝોડાની  સૌરાષ્ટ્રમાં જરા પણ અસર જોવા મળશે નહિં. સુરતથી ૯૦૦ કિ.મી. દૂર અરબ સાગરમાં ઉદ્દભવેલી ડિપ્રેશન સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં સાઈકલોન સ્ટ્રોમ તરીકે વિકસીત થશે.

આ વાવાઝોડુ આજે દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી પસાર થવાની શકયતા રહેલી છે. જેની અસર દક્ષિણ ગુજરાત પર  રહેશે. ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. સુરત જિલ્લામાં આવતીકાલે સાંજે ૭૦ કિ.મી.થી લઈને ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે માછીમારોને  તા.૪ જૂન સુધી દરીયો નહિં ખેડવા માટે સુચના આપવામાં આવી છે. જયારે ડુમસ, સુવાલી, ડભારીના દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

Related posts

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

સી.એમ. રૂપાણી કોરોના પોઝિટિવ, ઇલેક્શન દરમિયાન હજુ કેટલાય નેતાઓ ને કોરોના થવાની શકયતા

Ahmedabad Samay

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ, એક શિક્ષકને બે ક્લાસ લેવાની ફરજ પડી શકે છે

Ahmedabad Samay

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો