અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાઓની હાલત બગડી જાય છે. સામાન્ય વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી જાય છે.શહેરમાં ઠેરઠેર ભુવા પડીજતા હોય છે,
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ સમારકામ કરેલો રોડ દબાઈ ગયો તો. જેને કારણે અનાજથી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરતું થોડા વરસાદમાં જ તંત્રની બેદરકારી બહાર આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, અહીં રોડ એવો છે કે વરસાદ આવે એટલે દબાઈ જાય છે અને આવી ઘટના વારંવાર બનતી રહે છે અને લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
