February 5, 2026
દેશ

PM મોદીએ ટ્વીટર પર સુશાંતસિંહ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું,

સુશાંતસિંહની ટ્વીટર પ્રોફાઈલમાં વિન્સેન્ટ વાન ગોગનું ચિત્ર મુકેલ છે, આ ચિત્ર બનાવ્યા પછીના વર્ષમાં વિન્સેન્ટ વાન ગોગે આત્મહત્યા કરી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ભાવભીની અંજલિ આપી

લોકપ્રિય ફિલ્મ અભિનેતા સુશાંતસિંઘે અકળ કારણસર આજે ગળેફાંસો ખાઈ જીવ આપ્યો છે ,પોલીસ તેના નિવાસની અંદર છે, તેની પૂર્વ મેનેજર દિશાએ 4 દિવસ પેહલા આત્મહત્યા કરી હતી.

આ દરમિયાન જગ પ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગનું ચિત્ર ખુબ જ પ્રસિદ્ધ ચિત્ર સ્ટારી નાઈટ’ હામના જ પોતાના ટ્વીટર પ્રોફાઈલમાં મૂક્યું છે,વિન્સેન્ટ વાન ગોગ  પણ જયારે મેન્ટલ હોસ્પિટલમાં ડિપ્રેશનને લીધે સારવારમાં હતા ( પોતે પાગલ બનવા આવેલ, પોતાનો કાન ( ડાબો ) કાપી નાખેલ ) ત્યારે આ ચિત્ર 1889માં  બનાવેલ। ત્યારબાદ 1890માં ગોગે આત્મહત્યા કરી લીધેલ,

  સુશાંત પણ વિન્સેન્ટ વાન ગોગે નિરાશાના સમયમાં દોરેલ ચિત્ર પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પ્રોફાઈલ ચિત્ર તરીકે મૂક્યું હતું,અને આત્મહત્યા કરી લીધી છે, તેની સેક્રટરીના મોત પછી તરત જ આત્મહત્યા કરી તેને પણ સાંકળવામાં આવે  છે, તો તેની માતાનું મરણ થયેલ ત્યારબાદ ખુબ જ અસ્વસ્થ બાઇનલ અને હ્ર્દય હચમાવતું કાવ્ય લખેલ .

         સુશાંતસિંહ રાજપૂતે છેલ્લે ‘ છિછોરે ‘ ફિલ્મ અભિનય આપેલ,આ ફિલ્મમાં સુશાંત સિંહ ફિલ્મમાં તેના પુત્રને સ્યુસાઇડ શા માટે કરવું તેની સમજણ આપે છે,

        માહિતી અનુસાર સુશાંતસિંહ આર્થિક રીતે ખુબ જ મૂંઝવણમાં હતા અને તેની ગર્લફ્રેન્ડ મદદ કરી રહી હતી, પોતે પણ ખુબ જ ટેન્સનમાં હોવાનું કહેવાય છે,

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટર એકાઉન્ટ ઉપર અંજલિ આપતા લખેલ છે કે સુશાંતસિંઘ ખુબ જ પ્રતિભાશાળી કારકિર્દી ધરાવતા હતા, અનેક લોકો તેનાથી પ્રભાવિત થયેલ, મને ખુબ આઘાત લાગ્યો છે,મારી શ્રદ્ધા તેમના ચાહકો અને પરિવાર સાથે છે ૐ શાંતિ

Related posts

રામ મંદિરના અભિષેકને હવે ગણતરીના કલાકો જ બાકી

Ahmedabad Samay

આ વેબસાઈટ સેવ કરી લેજો ખૂબ ઉપયોગી છે. આધારનંબરથી જોડાયેલા તમમાં મોબાઈલ નંબર દેખાશે

Ahmedabad Samay

ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચ રવિવારે સંપૂર્ણ લોકડાઉન

Ahmedabad Samay

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો