November 14, 2025
ગુજરાતદેશ

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

અનલોક -૦૫ ગાઈડલાઈન અંતર્ગત દેશમાં હવે 15 ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી છે. કેન્દ્ર સરકારે સ્કૂલો કોલેજોને ઓપન કરવાની મંજૂરી આપી છે. સ્કૂલો રિઓપન દરમિયાન સ્કૂલ, ઈન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ બેઝ સિચ્યુએશન મુજબ અને અભ્યાસક્રમ મુજબ ફોલો કરવાનું રહેશે. જેમાં નવી ગાઈડલાઈન મુજબ સ્કૂલોમાં અભ્યાસ કરાવવાનો રહેશે. કોરોના મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક સાથે સ્કૂલો ઓપન કરવાની નવી માર્ગદર્શિકા આવી શકે છે. સ્કૂલોમાં સેનેટાઈઝીંગ સહિતની કામગીરી સાથે હવે સ્કૂલોનો આરંભ થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ બધી બાબત માટે રાજ્ય સરકારોને પોતાની રીતે નિર્ણય લેવા જણાવ્યું છે. રૂપાણી સરકાર કેવી રીતે સ્કૂલો ચાલુ કરે છે તે હવે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.

અનલોક ૦૫ માં કેન્દ્ર સરકારે શાળા કોલેજો સહિત મોટા ભાગની તમામ બાબતો પર રોક હટાવી દીધી છે. પરંતુ તેની ક્ષમતા મુજબ રાજ્ય સરકાર પોતાની રીતે નિર્ણય લેવા જણાવ્યું છે. અર્થાત ટૂંક સમયમાં જ હવે સ્કૂલો, કોલેજો ચાલુ કરવા બાબતે રાજ્ય સરકારો અલગથી નિર્ણય લેશે. પરંતુ હાલમાં ૧૫ ઓક્ટોબરથી કેન્દ્રીય શાળા કોલેજો ચાલુ થવા જઈ શકે છે. જે વિદ્યાર્થી ઓનલાઈન અભ્યાસ કરવા માગતા હોય તો તેને ફિઝીકલી હાજર રહેવા ફરજ પાડી શકાશે નહીં.

Related posts

રોજ ખજૂર ખાવાના અનેક ફાયદા

Ahmedabad Samay

નવા આઇટી નિયમોનો ભારતના વોટ્સએપ યુઝર ઉપર અસર નહીં થાય : રવિશંકર પ્રસાદ

Ahmedabad Samay

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

Ahmedabad Samay

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ફલાવર શો માટે ઓનલાઇન ટિકિટિંગ બુકિંગ શરૂ કરાઇ

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

વડોદરામાં રુવાળા ઉભા કરિદે તેવી બની ધટના,હરણી તળાવમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો