February 5, 2026
ગુજરાત

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

ભારત સરકારે અનેક એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવા માટે બોલીની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં અનેક કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં અનેક એરપોર્ટની જવાબદારી અદાણી ગ્રુપને મળી હતી.ત્યારે આજથી અમદાવાદ એરપોર્ટની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં આવી. અદાણી ગ્રુપની કંપની અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AAIAL) દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે બપોરે અમદાવાદ એરપોર્ટનું  સંચાલન 50 વર્ષ માટે AAI પાસેથી હસ્તગત કરશે.

ટેન્ડર પ્રક્રિયામાં સૌથી વધુ પેસેન્જર ફી ચૂકવણી અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદ સહિત દેશના 6 મોટા એરપોર્ટનું સંચાલન આગામી 50 વર્ષ માટે મેળવવામાં આવ્યું છે. આ તમામ એરપોર્ટના વિકાસનું કામ હવે અદાણી ગ્રુપ કરશે. આ એરપોર્ટ પર પેસેન્જર સુવિધાઓ વધારવાની સાથે તેમની પાસેથી વધારે ચાર્જ વસૂલ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ સાથે જ ફ્લાઈટના ભાડા પણ વધી શકે છે.

અમદાવાદ એરપોર્ટનું ઓપરેશન અને મેન્ટેનેન્સની જવાબદારી સંભાળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ જ તેમની સાથે કામ કરશે. જ્યારે મુખ્ય અધિકારી તરીકે અદાણી ગ્રુપના અધિકારીઓ જ તમામ દેખરેખ રાખશે. જેમાં 180થી વધુ કર્મચારીઓ આગામી 3 વર્ષ સુધી અદાણી ગ્રુપ સાથે કામ કરી શકશે.

Related posts

અમદાવાદમાં આગામી માર્ચ મહિના સુધીમાં 5 ઇલેક્ટ્રિક વાહનો માટે હવે ચાર્જીંગ સ્ટેશન શરુ કરવામાં આવશે

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું.

Ahmedabad Samay

 કેન્દ્ર સરકારે મંગળવારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે પ્રીમિયમમાં વધારો કર્યો

Ahmedabad Samay

ભાજપમાં ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કરાયો

Ahmedabad Samay

સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને ડુમસ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,સુરત એરપોર્ટ પર ૬ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

એક ટિપ્પણી મૂકો