May 8, 2026
ગુજરાત

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

ભારત સરકારે અનેક એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવા માટે બોલીની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં અનેક કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં અનેક એરપોર્ટની જવાબદારી અદાણી ગ્રુપને મળી હતી.ત્યારે આજથી અમદાવાદ એરપોર્ટની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં આવી. અદાણી ગ્રુપની કંપની અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AAIAL) દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે બપોરે અમદાવાદ એરપોર્ટનું  સંચાલન 50 વર્ષ માટે AAI પાસેથી હસ્તગત કરશે.

ટેન્ડર પ્રક્રિયામાં સૌથી વધુ પેસેન્જર ફી ચૂકવણી અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદ સહિત દેશના 6 મોટા એરપોર્ટનું સંચાલન આગામી 50 વર્ષ માટે મેળવવામાં આવ્યું છે. આ તમામ એરપોર્ટના વિકાસનું કામ હવે અદાણી ગ્રુપ કરશે. આ એરપોર્ટ પર પેસેન્જર સુવિધાઓ વધારવાની સાથે તેમની પાસેથી વધારે ચાર્જ વસૂલ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ સાથે જ ફ્લાઈટના ભાડા પણ વધી શકે છે.

અમદાવાદ એરપોર્ટનું ઓપરેશન અને મેન્ટેનેન્સની જવાબદારી સંભાળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ જ તેમની સાથે કામ કરશે. જ્યારે મુખ્ય અધિકારી તરીકે અદાણી ગ્રુપના અધિકારીઓ જ તમામ દેખરેખ રાખશે. જેમાં 180થી વધુ કર્મચારીઓ આગામી 3 વર્ષ સુધી અદાણી ગ્રુપ સાથે કામ કરી શકશે.

Related posts

૨૫ મેં એ થશે ધોરણ.૧૦ નું પરિણામ જાહેર,Whatsapp ના માધ્યમથી જાણી શકાશે પરિણામ

Ahmedabad Samay

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

Ahmedabad Samay

સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

ખાખીની ખુમારી આવી સામે, પતંગની દોરી વાગતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પોલીસે બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું

Ahmedabad Samay

મનપા ચૂંટણીમાં ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા, 797 ફોર્મ માન્ય રહ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો