રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા અંગે એસઓપી જાહેર કરી દેવામાં આવી છે. આ એસઓપી હેઠળ સોમ,બુધ અને શુક્રવારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે અને મંગળ, ગુરુ અને શનિવારે ધોરણે 9 અને ધોરણે 11ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. વાલીઓએ તેમના સંતાનોને હાજર રાખવા અંગે લેખિત સંમતિ આપવી પડશે. તેના પછી જ તેઓ સંતાનોને શાળાએ મોકલી શકશે.
![](https://newsreach-publishers.s3.ap-south-1.amazonaws.com/ahmedabadsamay.in/2020/11/IMG_20201106_181325.jpg)