January 20, 2025
ગુજરાત

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

અમદાવાદ સહિતના શહેરોમાં કોરોના સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે જેને કારણે સરકાર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળોને બંધ રાખવામાં આવી રહ્યા છે જેને કારણે લોકોની વધુ ભીડ ભેગી ના થાય. ધાર્મિક સ્થળોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો પણ વધુ હોય છે જેને કારણે ધાર્મિક સ્થળોને સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવી રહ્યા છે

શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્મકીર્તિદાસે તમામ હરિભક્તોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા માટે ખાસ અપીલ કરી છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, કામ સિવાય બહાર ના જવું ઉપરાંત સરકાર અને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે આપેલા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

નરોડા નિકોલ વિસ્તારમાં હોમ કોરોન્ટાઇન લોકોમાટે શરૂ કરાઇ મફત ટિફિન સેવા

Ahmedabad Samay

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે

Ahmedabad Samay

જુનાગઢ કાળવા ચોક વિસ્તારમાં કોમ્પ્યુટરમાં યંત્રો ના ચિત્ર પર જુગાર રમતા વિશ્વ લોકોને પકડી પાડતી પોલીસ

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો