March 23, 2026
દેશ

ભારત બંધને સફળ બનાવવા ખેડૂતોના ચક્કાજામ ૧૧ના બદલે ૮ વાગ્યાથીજ શરૂ થઈ ગયા

ભારત બંધના એલાન સંદર્ભે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઓડીસામાં ટ્રેનો અટકાવવામાં આવી હતી જેને કારણે અનેક ટ્રેનોના રૂટ બદલવા પડયા હતા અને ટ્રેનોની અવરજવરને અસર પડી હતી. તેલંગણાના કામરેડીમાં પરીવહન નિગમના કર્મચારીઓ દેખાવો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોએ કોલકતાના જાદબપુર રેલ્વે સ્ટેશન પર રેલ્વે પાટા પર વિરોધ પ્રદર્શન કરી ટ્રેનો અટકાવી હતી. પ્રયાગરાજ અને જહાનાબાદમાં પણ ટ્રેનો અટકાવવામાં આવી હતી.

દેશના અનેક રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર આવી કૃષિને લગતા કાળા કાયદાઓ પાછા ખેંચવાની માંગણી કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં ચક્કાજામ પણ કરવામાં આવ્યા હતા. જેને કારણે હાઈવે ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા. ઠેર-ઠેર પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો. ભારત બંધની અસર દક્ષિણના રાજ્યો અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે.

કર્ણાટકમાં કોંગ્રેસના નેતાઓએ વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના નેતાઓએ દેખાવો કર્યા હતા. સરકાર વિરૂદ્ધ નારેબાજી પણ કરી હતી અને કાળા ઝંડા ફરકાવ્યા હતા. ભારત બંધની સૌથી વધુ અસર ૧૧ રાજ્યોમાં જોવા મળી રહી છે. કર્ણાટકના કલબુર્ગીમાં પણ ખેડૂતોએ જોરદાર દેખાવો કર્યાના અહેવાલો મળી રહ્યા છે.

પટણામાં કૃષિ કાનૂન વિરૂદ્ધ બંધના એલાન સંદર્ભે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

Related posts

મુંબઈમાં કોરોનાનો કેહર યથાવત,કોરોના કેસ ૪૨,૨૧૬ ને પાર

Ahmedabad Samay

જમ્મુ કશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા, ૧૦ સૈનિકો ઘાયલ

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

દિવાળીમાં સરકાર દ્વારા આપવામાં આવશે GST બોનસ, ૭૦ – ૮૦ % વસ્તુઓ થશે સસ્તી, મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી

Ahmedabad Samay

રક્ષા મંત્રી રાજનાથ સિંહના એલઓસી પાર કરવાના નિવેદનથી ભડક્યું પાકિસ્તાન, આપી આ પ્રતિક્રિયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો