અમદાવાદ ના જુહાપુરા માં આજે વહેલીસવારે આઠ જેટલી દુકાનોમા આગ લાગતા ભારે દોડધામ મચી હતી. જોકે, ઘટના અંગે ની જાણ થતાં જ ફાયર ફાયટરો સાથે નો કાફલો દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં 15 દુકાનો આગ ની ઝપેટમાં આવી ગઈ હતી જેમાં સામાન બળીને રાખ થઇ ગયો છે. ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યું હતું.
