મેસેન્જિંગ એપ ટેલીગ્રામમાં મેસેજના માધ્યમથી આની ખરાઈનો દાવો કરવામાં આવી રહ્યો છે.જૈશે- ઉલ- હિંદે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી
મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સર્વશકિતમાન અલ્લાહની કૃપા અને મદદથી જૈશ ઉલ હિંદના સૈનિક દિલ્હીની એક હાઈ સિકયોરિટી વિસ્તારમાં ધૂસણખોરી કરી IEDના હુમલાને સફળ બનાવી શકયા. પ્રમુખ ભારતીય શહેરોને નિશાનો બનાવનારા હુમલાની આ એક શરુઆત છે. આ ભારતીય સરકાર દ્વારા કરવામાં આવેલા અત્યાચારોનો બદલો લેવામાં આવ્યો છે.
ત્યારે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની પાસે સામાન્ય IED વિસ્ફોટ બાદ ધમાકા માટે ઉપયોગમાં લેવામાં આવેલા વિસ્ફોટકોની બે વાર તપાસ કરવામાં આવી છે.
અધિકારીઓનું અનુમાન છે કે અલ કાયદા જેવા પ્રશિક્ષિત સમૂહોની પાસે આ ગ્રેડના વિસ્ફોટક ઉપલબ્ધ થવાની આશંકા છે. એક ISIS ગ્રુપે પણ હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો. પરંતુ એજન્સીઓ તેના સામેલ હોવાને લઈને હેરાન નથી.
