અસંગઠિત શ્રમિકો માટે આર્શિવાદરૂપી ત્રણ વર્ષથી બંધ “ અન્નપૂર્ણા યોજના ” શ્રમિકોના વિશાળ હિતમાં શરૂ કરવા પ્રદર્શન યોજી આપવામાં આવેલ આવેદન પત્ર ગુજરાત પ્રદેશ અસંગઠીત કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ એક અખબારી નિવેદનમાં જણાવે છે કે .. ૧૦ રૂપિયામાં ભરપેટે યોજનાની રાજય સરકારશ્રીની અન્નપૂર્ણા યોજનાનું બાળમરણ થઈ ગયું છે . જુન -૨૦૧૭ ના વર્ષમાં અમદાવાદમાં શરૂ થયેલ આ યોજના લગભગ છેલ્લા ત્રણેક વર્ષથી બંધ પડી છે .
કોરોના કાળમાં લોકડાઉનથી બેરોજગાર બનેલા અને વર્તમાન આર્થિક મંદીનો ભોગ બનેલા શ્રમિક વર્ગને જરૂરિયાત છે તેવા સમયે જ સરકારે યોજના બંધ કરી દેતાં અસહ્ય તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે . રાજય સરકારના કાયદા પ્રમાણે બિલ્ડરની યોજના પુરી થતાં નફામાંથી બે ટકા શેષ ગુજરાત રાજય મકાન બાંધકામ કલ્યાણ બોર્ડમાં ફરજીયાત જમા કરે છે . જેથી ૩૫૦૦ કરોડથી વધુ રકમ જમા છે . એમાંથી બે ટકાથી અઢી ટકા જેટલી જ રકમ ખર્ચ કરી છે . જે ખર્ચ પણ વહીવટી ખર્ચો છે . જેથી કામદારોને સહાય મળતી નથી .
અન્નપૂર્ણા યોજના હેઠળ દાળ , ભાત , શાક , રોટલી , છાસ સહિતની ભોજન સામગ્રી પાર્સલ સુવિધાના રૂપમાં પેક કરી આપતી હતી . કડીયાનાકા પર સવારે મોટી સંખ્યામાં મજુર વર્ગ આવતો હોય છે . કામે જતાં પહેલાં તેઓ ભરપેટ ભોજન એ પણ ફકત ૧૦ રૂપિયામાં કરી શકે છે . તે માટે
આ યોજનાનો લાભ સમાજના એક મોટા વર્ગ લેતો હોય છે .
અન્નપૂર્ણા યોજનામાં ભોજન મળે તો તેઓની બચત થઈ શકે , પોષ્ટિક આહાર મળે તો કોરોના સામે લડવા શ્રમિકોમાં હ્યુમીનીટી પાવર વધી શકે . એટલું જ નહીં હાલમાં ચોમાસાના કારણે શ્રમજીવી વર્ગને રોજી – રોટીની વધઘટ થઈ રહી છે એવા સમયે સસ્તા ભાવે ભોજન આપનાર અન્નપુર્ણા યોજના લાખો શ્રમિકોના હિતમાં શરૂ કરવી જોઈએ . એકબાજુ મકાન બાંધકામ કલ્યાણ બોર્ડમાં પુરતુ ફંડ છે . બીજી બાજુ સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી છતાં શ્રમજીવીઓને હજુ સુધી અન્નાપૂર્ણાંની થાળીના દર્શન થયા નથી . માટે આર્શિવાદરૂપી “ અન્નપૂર્ણા યોજના ” અસંગઠિત શ્રમિકોના વિશાળ હિતમાં તાકીદે સરૂ કરવા રાજ્યનાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજા , શ્રમ અને રોજગાર સચિવ અને મકાન અને અન્ય બાંધકામ કલ્યાણ બોર્ડનાં નિયામક શ્રીને વાંરવાંર આવેદન પત્ર આપી વિગત વાર રજુઆત કરવા છતા અન્નપુર્ણા યોજના શરૂ ન થતા અ સંગઠીત ક્ષેત્રનાં શ્રમિકોમાં તિવ્ર રોષ ની લાગણી વ્યાપી છે અન્નપુર્ણા યોજના તાત્કાલિક અસર થી શરૂ કરવા સી.ટી.એમ. ખાતે આવેલ કડીયાનાંકા ખાતે ગુજરાત પ્રદેશ અસંગઠીત કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ પ્લે – કાર્ડ સાથે પ્રદર્શન યોજી લાગણી અને માંગણી રજુ કરવામાં આવી હતી
જેમાં અસંગઠીત ક્ષેત્રનાં કામદાર આગેવાનો સર્વશ્રી જ્યોર્જ ડાયસ કાલીઅપ્પન મુદલીયાર , રમેશ ભીલ , રાજેશ આહુજા , નોવેલ ક્રિશ્ચિયન , સુનિલ કોરી , અતીષ પંચોલી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા . અને જો તેમ કરવામાં નહી આવે તો ૭૨ કલાકનાં ઉપવાસ , નિયામક કચેરીનો ઘેરાવ , ધરણા પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજાશે .

