અમદાવાદના રીલીફ રોડ ખાતે આઈશાના પરિવારે પ્રેસ કોન્ફ્રન્સમાં ચોંકાવનારા કિસ્સાઓ સામે લાવ્યા છે. જેમાં તેના પિતાએ આરીફ અને તેના પરિવાર પર આઈશાને માર મારવાનો આરોપ લગાડ્યો છે. તેના પિતાએ જણાવ્યું છે કે, આઈશા જયારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા અને તેના પતિએ તેને માર મર્યો હતો જેથી તેની પ્રેગનેન્સી મિસ થઈ હતી. ત્યારે તેઓ આઈશાને અમદાવાદ મુકી ગયા હતા. ત્યાર બાદ થોડાક દિવસો બાદ તેઓએ ફોન પર પાંચ લાખ રુપિયાની માંગણી કરી હતી જેથી હમારા પાસે આટલા પૈસા ન હોવાથી દોઢ લાખ રુપિયા આપ્યા હતા
જો કે, આરીફ અને આઈશાના લગ્નના બે મહિના બાદ આરીફના ફોનમાં અન્ય કોઈ વ્યકિત સાથે સંબધ હોવાની વાત તેને ખબર પડી હતી,જેથી તે તેની સાસુને આ વાતની જાણ કરવા માટે ગઈ હતી. તેની સાસુએ પોતાના દિકરાને સમજાવવાને બદલે આઈશાને જ ધમકાવવા લાગી હતી અને પાછી ઘરે મોકલી દીધી હતી. ઘરે આવ્યા બાદ ફરી એકવાર તેઓએ પૈસાની માંગણી કરી હતી. જો કે, આઈશાના પિતા પાસે પૈસાની સગવડ ન હોવાથી તેઓને પૈસા આપી શક્યા ન હતા.
આઇશાના પિતાએ સરકાર પાસે માંગ કરી છે કે, ખાસ સમિતીની રચના કરવામાં આવે જે આ મુદ્દે યોગ્ય રીતે તપાસ થાય. આ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. જેથી ઝડપથી ચુકાદો આવી શકે. સરકાર દ્વારા ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા ખાસ કોઇ વ્યવસ્થા કરવામાં આવે જેથી ફરી કોઇ આઇશાને આવી સ્થિતીનો સામનો કરવો ન પડે.
