મહાવદ ચોથને આજ ના દિવસે અંગારકી ચોથ છે . સામાન્યરીતે મંગળવાર અને ચોથ આવે તો તેનું મહત્વ વધી જાય છે . પરંતુ ખાસ કરીને વદ પક્ષમાં ચોથને મંગળવાર આવે તો તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે, જે આજે મહાવદ હોવાના કારણે અંગારીકા ચોથ સાથે સાથે ચિત્રા નક્ષત્ર પણ છે .
ચિત્રા નક્ષત્રના સ્વામી પણ મંગળ છે આથી આ દિવસે ગણપતી પૂજા અને અંગારકી ચોથનું મહત્વ વધી જશે અને વધારે ફળદાયી બનશે .
આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવા . ઉપવાસમાં આખો દિવસ ફળ , દુધ , દહીં , છાશ લઈ શકાય , તે સિવાયની વસ્તુઓ લેવી નહીં . દિવસ આથમ્યા પછી ગણપતી દાદાનું પૂજન કરવું .
