March 23, 2026
ગુજરાત

એકતા એજ લક્ષ સંગઠન દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અમદાવાદ કલેટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું

આપણે આઝાદ થયા અનેક વર્ષો થયા છતાં પણ આપણે આપણા વારસાને આઝાદ નથી કરાવી શક્યા કેમકે જે લોકોએ ભારત દેશ ઉપર આક્રમણ કર્યા ભારત દેશને ગુલામ બનાવ્યો દેશ ઉપર જબરન શાસન કર્યું તે સમયની આ દેશની એકમાત્ર સંસ્કૃતિ એટલે કે સનાતન સંસ્કૃતિ હિંદુ ધર્મ નષ્ટ કરવાના પ્રયત્નો થયા હાલ ભારત દેશ એક લોકશાહી દેશ છે પરંતુ આ દેશના હિન્દુ પોતાનો હક માંગી રહ્યા છે ખરા અર્થમાં આ દેશની સંસ્કૃતિ અને વારસો જે હતો તે પાછો માંગી રહ્યા છે.

અમદાવાદનું નામ કર્ણાવતી હતું કર્ણદેવ વાઘેલા એ વસાવેલું સુંદર નગરી હતી જે લોકો સ્વતંત્ર અને મુક્તપણે પોતાના ધર્મનું પાલન પ્રચાર-પ્રસાર કરી શકતા હતા પોતાની ઇચ્છાનુસાર મુક્તપણે વિહાર કરી શકતા હતા વેપાર કરી શકતા હતા ત્યારબાદ અહમદશાહ કર્ણાવતી ઉપર ચડાઈ કરી અને ત્યારબાદ તેમનું રાજ્ય સ્થાપ્યું અને પોતાના નામે નગરને વસાવ્યું અહમદશાહ ના રાજ માં સનાતની હિન્દુ ગુલામ થઈને રહી ગયા હતા આજે પણ એ અમદાવાદ નામ તે ગુલામી નો અહેસાસ કરાવે છે

એકતા એજ લક્ષ સંગઠન ગુજરાત સમગ્ર ગુજરાતની શાન એવા કર્ણાવતી (અમદાવાદ) ને ખરેખર પોતાનું સાચું નામ મળે તે માટે એકતા એજ લક્ષ સંગઠન નાં અમદાવાદ શહેર અધ્યક્ષ જ્વાલા સિંહ રાઠોડ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અમદાવાદ કલેટર સાહેબ ને આવેદન પત્ર આપેલ છે.

કર્ણાવતી નામથી પુનઃસ્થાપના થાય એવી એક્તા એજ લક્ષ સંગઠન ની માંગ છે 18 વરણ એક સાથે હિંદુત્વ માટે ના નારા સાથે  આ માંગ કરી હતી.

Related posts

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નને લઈ ચાલતી અફવાઓ ની સી.એમ એ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

વિશેષ સાફલ્યગાથા – અમદાવાદ જિલ્લો ગો-ગ્રીન જેવી યોજના થકી પર્યાવરણને શુદ્ધ રાખવાનો સરકારનો નવતર અભિગમ

Ahmedabad Samay

U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે  ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો

Ahmedabad Samay

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો