દેશમાં કોરોનાના ત્રીજા ડોઝની તૈયારી ચાલી રહી છે તેને બુસ્ટર ડોઝ કહેવામાં આવી રહ્યું છે. એકસપર્ટની એક પેનલે ભારત બાયોટેકની વેકસીન કોવેકસીનના ત્રીજા ડોઝની મંજુરી આપી દીધી છે. ત્રીજો બુસ્ટર ડોઝ બીજા ડોઝના છ મહિના બાદ કરાશે. તેનાથી ફાયદો એ થશે કે કોરોનાના નવા વેરિએન્ટથી રક્ષણ મળશે અને નવો સ્ટ્રેન ન્યુટેશન કરીને ઉત્પન્ન થઇ શકશે નહીં. કોરોના વિરૂધ્ધ શરીરની ઇમ્યુનિટી અનેક વર્ષો માટે વધી જશે.
ભારત બાયોટેકના વોલયન્ટિર્સને ત્રીજો બુસ્ટર ડોઝ આપ્યા બાદ ૬ મહિના સુધી દેખરેખ હેઠળ રાખશે. જેથી તેના શરીરમાં કોરોના વિરૂધ્ધ થતાં બદલાવો, ઇમ્યુનિટીના ઘટવા અને વધવા સાથે જ નવા વેરિએન્ટમાં બચવાના કેટલી મદદ મળે છે. તેના પર નજર રાખશે. સાથે જ સાઇડ ઇફેકટસનું પણ પરીક્ષણ કરવામાં આવશે.
ત્રીજા બુસ્ટર ડોઝ બાદ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાશે. સંક્રમણનો ખતરો ઓછો થશે. સાથે જ વધુ લહેર આપવામાં સમય લાગશે. જો લહેર આવે પણ છે તો વધુ નુકસાન સાબિત થશે નહિ. તેનું નિયંત્રણ સરળ થશે. ત્યારબાદ વર્ષમાં એક ડોઝની જરૂરીયાત પડશે. જેના માટે દેશના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.
