March 26, 2026
ગુજરાત

મોંઘવારી બની બેફામ, શાકભાજી સહિત અન્ય વસ્તુઓમાં ભાવ વધારો

મોંઘવારી ને જાણે બ્રેક ફેલ થઇ ગઇ હોય તેમ નોનસ્ટોપ વધતી જઇ રહી છે.

પેટ્રોલ, ડીઝલ, LPG ના ભાવ આસમાને પહોંચી ચૂકયા છે. CNG અને PNG ના ભાવ પણ વધી રહ્યા છે. ખાદ્ય તેલ, ખાદ્ય પદાર્થોના ભાવ પણ સામાન્ય વ્યકિતની પહોંચથી બહાર છે. જો તમને લાગે છે કે પરેશાનીઓ અહીં જ ખતમ થઇ રહી છે તો જરા રોકાવ, કારણ કે પિકચર હજુ બાકી છે.

મોંઘવારીનો ઝટકો આપવાનો વારો ટ્રાંસપોર્ટર્સનો છે. આગામી દિવસોમાં ટ્રાંસપોર્ટર્સ પણ માલભાડામાં વધારો કરવાની યોજના બનાવી રહ્યા છે. મોંઘવારી ડીઝલની માર ટ્રાંસપોર્ટર્સ પર પણ પડી શકે છે. એટલા માટે હવે તે પણ માલભાડામાં ૨૦ ટકા સુધી વધારો કરવાની છે. ગત ૨ મહિનાથી જરૂરી માલ સામાનના ભાવમાં વધારો થયો છે અને ટ્રાંસપોર્ટર્સ ભાડા વધારે છે તો ચારેય તરફ મોંઘવારીમાં વધુ વધારો થશે અને સામાન્ય વ્યકિતનું દર્દ વધુ વધશે.

આ વધારા પાછળ ટ્રાંસપોર્ટર્સનું કહેવું છે કે કોરોના મહામારીના લીધે કુલ ડિમાંડમાં મોટો ઘટાડો થયો છે. જેના લીધે કમાણીમાં કોઇ વધારો થયો નથી. વધતો જતા ખર્ચથી ટ્રાંસપોર્ટર્સની પાસે ભાડું વધારવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. દેશના સૌથી જૂના ટ્રાંસપોર્ટ સંગઠન All India Motor Transport Congress (AIMTC) ના કોર કમિટીના ચેરમેન બાલ મલકીત સિંહનું કહેવું છે કે કોરોના પહેલાં તેમનું એક ટ્રક દિલ્હીથી મુંબઇ વચ્ચે ૩ થી ૪ ફેરા કરી લેતો હતો પરંતુ હવે સ્થિતિ એવી છે કે વધુમાં વધું ૨ જ ચક્કર લગાવી શકે છે. એટલે કે મહિનામાં ત્રણ લાખની કમાણી ઘટીને હવે ૨ લાખ રૂપિયા સુધી રહી ગઇ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી જરૂરી સામનોની કિંમતોમાં વધારો થવા લાગી રહ્યો છે, અને આ કોરોનાકાળમાં સામાન્ય લોકો માટે ફરીથી માર સાબિત થઇ રહી છે. ઓઇલની વધતા જતા ભાવથી ખેડૂતનો ખર્ચો વધી ગયો છે અને ખર્ચ વધતાં તેની કિંમત મળી રહી નથી. એટલા માટે સપ્લાઇ અને ડિમાન્ડના અંતરના લીધે ફળ અને શાકભાજીના રેટ આસમાને પહોંચી રહ્યા છે.

મુંબઇમાં APMC ના ડાયરેકટર અને જથ્થાબંધ ફળ વિક્રેતા સંજય પાનસારે અનુસાર ‘ખેડૂતનો ખર્ચ વધી રહ્યો છે, જેની અસર કંઝયૂમર પર આવી રહી છે. ભાવ વધતાં રોકવા માટે ડીઝલના ભાવ પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે. ડિમાન્ડમાં ઘટાડા અને ખર્ચમાં વધારાના લીધે ટ્રાંસપોર્ટર્સ સરકાર સાથે હપ્તા અને ટેકસમાં છૂટ સાથે સાથે એકસાઇઝ અને વેટમાં પણ રાહતની માંગ કરી રહી છે.”

New up 01

Related posts

જો સુરતમાં કોરોના કેસ વધશે તો તેના જવાબદાર સી.એમ. ભૂપેન્દ્ર પટેલ હશે, સાયકલોથનમાં આશરે ૧૦,૦૦૦ જેટલી ભીડ એકત્રિત કરી

Ahmedabad Samay

કોરોના કાળમાં જાહેરમાં ચાલી રહી છે લૂંટ, ટ્રાવેલ્સ બન્યા લૂંટારૂ

Ahmedabad Samay

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

Ahmedabad Samay

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી- પ્લેન સેવા દિવાળી પૂર્વે ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

એક ટિપ્પણી મૂકો