મોંઘવારી ને જાણે બ્રેક ફેલ થઇ ગઇ હોય તેમ નોનસ્ટોપ વધતી જઇ રહી છે.
પેટ્રોલ, ડીઝલ, LPG ના ભાવ આસમાને પહોંચી ચૂકયા છે. CNG અને PNG ના ભાવ પણ વધી રહ્યા છે. ખાદ્ય તેલ, ખાદ્ય પદાર્થોના ભાવ પણ સામાન્ય વ્યકિતની પહોંચથી બહાર છે. જો તમને લાગે છે કે પરેશાનીઓ અહીં જ ખતમ થઇ રહી છે તો જરા રોકાવ, કારણ કે પિકચર હજુ બાકી છે.
મોંઘવારીનો ઝટકો આપવાનો વારો ટ્રાંસપોર્ટર્સનો છે. આગામી દિવસોમાં ટ્રાંસપોર્ટર્સ પણ માલભાડામાં વધારો કરવાની યોજના બનાવી રહ્યા છે. મોંઘવારી ડીઝલની માર ટ્રાંસપોર્ટર્સ પર પણ પડી શકે છે. એટલા માટે હવે તે પણ માલભાડામાં ૨૦ ટકા સુધી વધારો કરવાની છે. ગત ૨ મહિનાથી જરૂરી માલ સામાનના ભાવમાં વધારો થયો છે અને ટ્રાંસપોર્ટર્સ ભાડા વધારે છે તો ચારેય તરફ મોંઘવારીમાં વધુ વધારો થશે અને સામાન્ય વ્યકિતનું દર્દ વધુ વધશે.
આ વધારા પાછળ ટ્રાંસપોર્ટર્સનું કહેવું છે કે કોરોના મહામારીના લીધે કુલ ડિમાંડમાં મોટો ઘટાડો થયો છે. જેના લીધે કમાણીમાં કોઇ વધારો થયો નથી. વધતો જતા ખર્ચથી ટ્રાંસપોર્ટર્સની પાસે ભાડું વધારવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. દેશના સૌથી જૂના ટ્રાંસપોર્ટ સંગઠન All India Motor Transport Congress (AIMTC) ના કોર કમિટીના ચેરમેન બાલ મલકીત સિંહનું કહેવું છે કે કોરોના પહેલાં તેમનું એક ટ્રક દિલ્હીથી મુંબઇ વચ્ચે ૩ થી ૪ ફેરા કરી લેતો હતો પરંતુ હવે સ્થિતિ એવી છે કે વધુમાં વધું ૨ જ ચક્કર લગાવી શકે છે. એટલે કે મહિનામાં ત્રણ લાખની કમાણી ઘટીને હવે ૨ લાખ રૂપિયા સુધી રહી ગઇ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી જરૂરી સામનોની કિંમતોમાં વધારો થવા લાગી રહ્યો છે, અને આ કોરોનાકાળમાં સામાન્ય લોકો માટે ફરીથી માર સાબિત થઇ રહી છે. ઓઇલની વધતા જતા ભાવથી ખેડૂતનો ખર્ચો વધી ગયો છે અને ખર્ચ વધતાં તેની કિંમત મળી રહી નથી. એટલા માટે સપ્લાઇ અને ડિમાન્ડના અંતરના લીધે ફળ અને શાકભાજીના રેટ આસમાને પહોંચી રહ્યા છે.
મુંબઇમાં APMC ના ડાયરેકટર અને જથ્થાબંધ ફળ વિક્રેતા સંજય પાનસારે અનુસાર ‘ખેડૂતનો ખર્ચ વધી રહ્યો છે, જેની અસર કંઝયૂમર પર આવી રહી છે. ભાવ વધતાં રોકવા માટે ડીઝલના ભાવ પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે. ડિમાન્ડમાં ઘટાડા અને ખર્ચમાં વધારાના લીધે ટ્રાંસપોર્ટર્સ સરકાર સાથે હપ્તા અને ટેકસમાં છૂટ સાથે સાથે એકસાઇઝ અને વેટમાં પણ રાહતની માંગ કરી રહી છે.”