મુંબઈમાં મૂસળધાર વરસાદના કારણે થયુ ભૂસખલન, ભૂસ્ખલનના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. શહેરના ચેમ્બુરમાં દિવાલ ધસી પડતા અને વિક્રોલીમાં મકાન ધરાશાયી થવાના કારણે લગભગ 23 લોકોના મોત થયા છે. આ બંને જગ્યાએ હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
ભારે વરસાદના લીધે ચેમ્બૂરના વાસી નાકા વિસ્તારમાં લેંડ સ્લાઇડ થયું છે. તેની ચપેટમાં 4-5 આવી ગયા છે અને ઘણા લોકો કાળમાળ નીચે દબાઇ ગયા છે. ઘટના બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમે 11 લાશોને કાટમાળ નીચેથી કાઢી છે. તેમાં એક મહિલાની બોડી પણ સામેલ છે.

