March 23, 2026
ગુજરાતરાજકારણ

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

હાલ ભારત ભરમાં મોંઘવારી એટલે હદે વધી છે કે લોકો ત્રાહિમામ થઇ ગયા છે. દરેક રાજ્યમાં પેટ્રોલ,ડીઝલ, શાકભાજી અને ખાદ્યપદાર્થોનો એટલો ભાવ વધ્યો છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા “ જન ચેતના રેલી” નો અભ્યાન ગુજરાત ભરમાં ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી હતી. જેમાં દિગ્ગજ નેતા અમિતભાઈ ચાવડા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, ભરતસિંહ સોલંકી, ઈમરાન ખેડાવાલા, ગાયત્રીબા વાઘેલા, પરેશ ધાનાણી, મધુસુદનભાઈ, નરેશભાઈ, ચેતન રાવલ, ઘનશ્યામ ગઢવી, ગ્યાસુદ્દીન શેખ જેવા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ રેલીમાં ભાજપ શાસનમાં ભાજપ તારો કેવો ખેલ, સસ્તો દારૂ, મોઘું તેલ- મોંઘો ગેસ, મોંઘુ તેલ બંધ કરો લૂંટનો ખેલ, સિલિંડર મોંઘુ મોંઘુ તેલ જોવો આ છે મોદીનો ખેલ, મોંઘા કર્યા પેટ્રોલ- ડીઝલના દામ, ભાજપે આપ્યા પ્રજાને ડામ જેવા પોસ્ટર સાથે સાઈકલ તથા ચાલતા રાજીવ ગાંધી ભવનથી આશ્રમ રોડ થઈ સરદાર બાગની પાસે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીજીને પુષ્પાજંલિ આપી રેલીનું સમાપન કરવામાં આવેલ

New up 01

Related posts

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

અમદાવાદ: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, એપ્રિલ-મેમાં ગરમીનો પારો આટલા ડિગ્રીએ પહોંચશે!

admin

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો