April 10, 2026
ગુજરાતરાજકારણ

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

હાલ ભારત ભરમાં મોંઘવારી એટલે હદે વધી છે કે લોકો ત્રાહિમામ થઇ ગયા છે. દરેક રાજ્યમાં પેટ્રોલ,ડીઝલ, શાકભાજી અને ખાદ્યપદાર્થોનો એટલો ભાવ વધ્યો છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા “ જન ચેતના રેલી” નો અભ્યાન ગુજરાત ભરમાં ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી હતી. જેમાં દિગ્ગજ નેતા અમિતભાઈ ચાવડા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, ભરતસિંહ સોલંકી, ઈમરાન ખેડાવાલા, ગાયત્રીબા વાઘેલા, પરેશ ધાનાણી, મધુસુદનભાઈ, નરેશભાઈ, ચેતન રાવલ, ઘનશ્યામ ગઢવી, ગ્યાસુદ્દીન શેખ જેવા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ રેલીમાં ભાજપ શાસનમાં ભાજપ તારો કેવો ખેલ, સસ્તો દારૂ, મોઘું તેલ- મોંઘો ગેસ, મોંઘુ તેલ બંધ કરો લૂંટનો ખેલ, સિલિંડર મોંઘુ મોંઘુ તેલ જોવો આ છે મોદીનો ખેલ, મોંઘા કર્યા પેટ્રોલ- ડીઝલના દામ, ભાજપે આપ્યા પ્રજાને ડામ જેવા પોસ્ટર સાથે સાઈકલ તથા ચાલતા રાજીવ ગાંધી ભવનથી આશ્રમ રોડ થઈ સરદાર બાગની પાસે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીજીને પુષ્પાજંલિ આપી રેલીનું સમાપન કરવામાં આવેલ

New up 01

Related posts

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

જુનાગઢ ફેક વેક્સિન સર્ટિફિકેટ મામલે જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ

Ahmedabad Samay

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

Ahmedabad Samay

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં જિલ્લામાં આ સિઝનમાં વરસાદ ઓછો, 6 તાલુકામાં 50 ટકા પણ વરસાદ નથી પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો