June 22, 2026
ગુજરાત

સુપ્રીમ કોર્ટે ર્સિવસ માટે અપાતું રિફંડ નહીં આપવાનો ચુકાદો આપ્યો

ઉદ્યોગ દ્વારા લેવામાં આવતી કોઇ પણ પ્રકારની ર્સિવસને ચોપડે બતાવવામાં આવે તો તેના માટે કરાયેલા ખર્ચ અને તે પેટે ચૂકવવામાં આવેલા જીએસટી પૈકી ઉદ્યોગકારને નિયમ પ્રમાણે ર્સિવસનું રિફંડ મળતું હોય છે. જેથી ઉદ્યોગકાર દ્વારા જીએસટી વિભાગમાં રિફંડ માટેની અરજી કરે તો તેને મંજૂરી મળ્યા બાદ ઉદ્યોગકાર અથવા તો વેપારીના ખાતામાં નાણાં જમા થઇ જતા હોય છે. જયારે સુપ્રીમ કોર્ટે ર્સિવસ માટે અપાતું રિફંડ નહીં આપવાનો ચુકાદો આપ્યો છે. તેના લીધે વેપારીના કરોડો રૂપિયા જામ થવાની શકયાતા રહેલી છે. જયારે બજારમાં પણ રોકડની અછત સર્જાવાની વાત જાણકારો કરી રહ્યા છે.

શુ છે ઇનપુટ સર્વિસ ?

કોઇ વેપારી કે ઉદ્યોગકાર દ્વારા જોબવર્ક કરાવવામાં આવે અથવા તો ર્સિટફિકેટ લેવામાં આવે તો તે માટે ચૂકવવામાં આવેલા ચાર્જને ચોપડા પર બતાવવામાં આવતો હતો. આ ઉપરાંત સીએ અથવા એકાઉન્ટન્ટને ચૂકવવામાં આવતી રકમને પણ ચોપડા પર બતાવી શકાતી હતી. જેથી વેપારીને આવી નાની નાની રકમ બતાવે તો પણ સારી એવી રકમનું રિફંડ પહેલા બેંક ખાતામાં જમા થતંુ હતું જયારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે બેંક ખાતામાં જમા થતું રિફંડ મળશે નહીં. તેના બદલે વેપારીના ઇલેકટ્રોનિક લેઝરમાં આ રકમ દેખાશે. તે રકમનો ઉપયોગ ફકતને ફકત ટેકસ ભરપાઇ કરવા માટે જ કરી શકાશે. જેથી વેપારીના જ નાણા જોઇ તો શકશે પરંતુ વાપરી નહીં શકે.

બોગસ બિલિંગ વધવાની શકયતા

સર્વિસ રિફંડ નહીં આપવાનો નિર્ણય તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેના લીધે બોગસ બિલિંગના કેસમાં પણ વધારો થવાની શકયતા રહેલી છે, કારણ કે વેપારીઓને ર્સિવસ પેટે મળતું રિફંડ બંધ થવાના લીધે હવે વેપારી ગુડ્ઝની ખરીદી કાગળ પર બતાવીને તે પેટેનું રિફંડ આપવામાં આવે છે, તેનો લાભ લેવાની શકયતા નકારી શકાય તેમ નથી, જેથી આગામી દિવસોમાં બોગસ બિલિંગના કેસમાં વધારો થવાનું પણ જાણકારો કહી રહ્યા છે, કારણ કે વેપારીઓએ પોતાના ગજવામાંથી વધારાના નાણા ચૂકવવાના બદલે બોગસ બિલિંગ કરીને રિફંડનો લાભ લેવાના કિસ્સા પણ વધુને વધુ થવાના છે, જેથી અધિકારીઓએ પણ હવે ખૂબ જ તકેદારી રાખવી પડશે.

બજારમાં નાણાકીય સાઇકલ ખોરવવાની દહેશત

સર્વિસ રિફંડ પહેલા મળતું હોવાના લીધે વેપારીઓની નાણાકીય સાઇકલ યોગ્ય રીતે ચાલતી હતી. કારણ કે રિફંડના નાણામાંથી તેઓ વેપારને વધારવાનું કાર્ય કરતા હતા. જયારે હવે તે નહીં મળવાના લીધે બજારમાં રોકડની અછત થવાની શકયતા રહેલી છે

બેંક ખાતામાં સર્વિસ રિફંડના નાણા જમા નહીં થાય

ઇનપુટ સર્વિસ પર પહેલા રિફંડ આપવામાં આવતું હતું. જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા હવે વેપારીઓને બેંક ખાતામાં રિફંડ નહીં મળે પરંતુ તેઓના લેઝરમાં તે પેટેની રકમ જમા બનાવશે. આ રકમ દ્વારા વેપારી પોતાનો ટેકસ ભરી શકશે, પરંતુ પહેલાની જેમ બેંક ખાતામાં રોકડ હવેથી નહીં મળે.

Related posts

અમદાવાદ: અમિત શાહે અમદાવાદીઓને આપી મોટી ભેટ, 97 કરોડના સનાથલ ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું, 70 હજાર વાહનચાલકોને મળશે રાહત

Ahmedabad Samay

CMના હસ્તે 8.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા લાલા દરવાજાના નવા એએમટીએસ બસ સ્ટેન્ડનું આજે થશે ઉદઘાટન

Ahmedabad Samay

નરોડા પોલીસે નકલી પોલીસ બની ફરતા સસ્પેન્ડડ SRP જવાનની ધરપકડ કરી.

Ahmedabad Samay

અમદાવાદ: વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો