February 6, 2026
દેશ

દેશમાં સર્જાઈ કોલસાની અછત,ભારતમાં ચાર દિવસ બાદ વીજળી ગુલ થવાના એંધાણ

દેશમાં વીજ ઉત્‍પાદન માટે પાવર પ્‍લાન્‍ટ્‍સ પાસે રહેલા કોલસાના સ્‍ટોકમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. દેશમાં લગભગ ૭૦ ટકા વીજળી કોલસામાંથી ઉત્‍પન્ન થાય છે, એટલે વીજળીના ભાવમાં ઝડપથી ઉછાળો આવ્‍યો છે. પરંતુ, રાહતની વાત એ છે કે, સ્‍થાનિક ઉપભોક્‍તાઓને આગામી થોડા મહિના સુધી વધુ ભાવ નહીં ચૂકવવા પડે. તેમની વીજળી ત્‍યારે મોંઘી થશે, જયારે ડિસ્‍ટ્રીબુશન કંપનીઓને ભાવ વધારવા માટે રેગ્‍યુલેટર તરફથી મંજૂરી મળશે.

કોલસાની અછતને પગલે અડધાથી વધુ પ્‍લાન્‍ટ્‍સમાં ઉત્‍પાદન ઠપ થવાને લઈને એલર્ટ આપી દેવાયું છે. સરકારી આંકડા મુજ, સપ્‍ટેમ્‍બરના અંતમાં દેશભરના પાવર પ્‍લાન્‍ટ્‍સની પાસે સરેરાશ ચાર દિવસનો કોલસો રહી ગયો હતો, જે વર્ષના સૌથી નીચલા સ્‍તર પર હતો. ઓગસ્‍ટની શરૂઆતમાં તેમની પાસે ૧૩ દિવસ સુધી વીજળી પેદા કરવા લાયક કોલસાનો સ્‍ટોક હતો.

કોલસાની અછતને જોતા એલ્‍યુમિનિયમ કંપનીઓ અને સ્‍ટીલ કંપનીઓ સહિત મહત્‍વના ગ્રાહકોને મળતા સપ્‍લાયમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. એવામાં ભારતને પણ ચીનની જેમ બે મોરચે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલો, કોરોનાને લગતા પ્રતિબંધો હટ્‍યા પછી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍ટિવિટી વધવાથી વીજળીની માંગમાં વધારો થયો છે. બીજી તરફ કોલસાના સ્‍થાનિક ઉત્‍પાદનમાં ઝડપથી ઘટાડો આવ્‍યો છે.

દેશની લગભગ ત્રણ ચતુર્થાંશ કોલસાની જરૂરિયાત સ્‍થાનિક ખાણોથી પૂરી થાય છે, પરંતુ ભારે વરસાદને પગલે તેમાં અને ટ્રાન્‍સપોર્ટ રૂટ પર પાણી ભરાઈ ગયા છે. એવામાં કોલસાથી પાવર પ્‍લાન્‍ટ્‍સ ચલાવતી કંપનીઓ સામે સમસ્‍યા એ છે કે, હરાજીમાં જે પણ કોલસા મળ્‍યા, તેના માટે વધુ પ્રીમિયમ આપે કે વિદેશી બજારમાંથી મંગાવે, જયાં પહેલેથી કિંમતો રેકોર્ડ હાઈ લેવલ પર છે.

સરકારી આંકડા મુજબ, કોલ પાવર પ્‍લાન્‍ટ્‍સની પાસે કોલસાનો સ્‍ટોક સપ્‍ટેમ્‍બરના અંતમાં લગભગ ૮૧ લાખ ટન રહી ગયો હતો, જે એક વર્ષ પહેલાની સરખામણીએ લગભગ ૭૬ ટકા ઓછો હતો. એ જ રીતે, ઈન્‍ડિયન એનર્જી એક્‍સચેન્‍જ પર વીજળીની સરેરાશ કિંમત વધીને ૪.૪ રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ હતી, જે એક વર્ષ પહેલા હતી તેના કરતા ૬૩ ટકા વધુ હતી.

એલ્‍યુમિનિયમ પ્રોડક્‍શન કંપનીઓની ફરિયાદ છે કે, કોલ ઈન્‍ડિયાએ પાવર પ્‍લાન્‍ટ્‍સને કોલસો આપવા માટે તેમનો સપ્‍લાય દ્યટાડી દીધો છે. કોલસા સચિવ અનિલ કુમાર જૈને કહ્યું કે, વરસાદને પગલે ખાણોમાં પાણી ભરાઈ જવાથી પાવર પ્‍લાન્‍ટ્‍સને રોજ ૬૦થી૮૦ હજાર ટન ઓછો કોલસો મળી રહ્યો છે.
અનિલકુમાર જૈનના જણાવ્યા અનુસાર, કોલસાના મહત્‍વના ઉત્‍પાદન કેન્‍દ્ર- ઝારખંડના ધનબાદમાં ગત મહિને ભારે વરસાદ થવાથી સ્‍થિતિ બગડી છે. તેમણે કહ્યું કે, કંપની પાવર પ્‍લાન્‍ટ્‍સમાં જરૂરિયાત પૂરતો કોલસો પૂરો પાડવા માટે સપ્‍લાય ઓક્‍ટોબરના બીજા સપ્તાહ સુધી જ વધારી શકશે.

Related posts

ફેસબુકનું સર્વર થયું ડાઉન,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં થઇ ટેકનિકલ ખામી

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

આખરે દીદીએ નંદીગ્રામ ગુમાવ્યું,સુભેંદુ અધિકારીએ તેમને ૧૬૨૨ મતે જીત મેળવી

Ahmedabad Samay

મોદી સરકારનો નિર્ણય ONGC ની ૧.૫ ટકા ભાગીદારી વેચી દેવાશે

Ahmedabad Samay

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay

વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રથમ તબક્કો આજે સાંજે સમાપ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો