February 5, 2026
દેશ

દેશમાં સર્જાઈ કોલસાની અછત,ભારતમાં ચાર દિવસ બાદ વીજળી ગુલ થવાના એંધાણ

દેશમાં વીજ ઉત્‍પાદન માટે પાવર પ્‍લાન્‍ટ્‍સ પાસે રહેલા કોલસાના સ્‍ટોકમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. દેશમાં લગભગ ૭૦ ટકા વીજળી કોલસામાંથી ઉત્‍પન્ન થાય છે, એટલે વીજળીના ભાવમાં ઝડપથી ઉછાળો આવ્‍યો છે. પરંતુ, રાહતની વાત એ છે કે, સ્‍થાનિક ઉપભોક્‍તાઓને આગામી થોડા મહિના સુધી વધુ ભાવ નહીં ચૂકવવા પડે. તેમની વીજળી ત્‍યારે મોંઘી થશે, જયારે ડિસ્‍ટ્રીબુશન કંપનીઓને ભાવ વધારવા માટે રેગ્‍યુલેટર તરફથી મંજૂરી મળશે.

કોલસાની અછતને પગલે અડધાથી વધુ પ્‍લાન્‍ટ્‍સમાં ઉત્‍પાદન ઠપ થવાને લઈને એલર્ટ આપી દેવાયું છે. સરકારી આંકડા મુજ, સપ્‍ટેમ્‍બરના અંતમાં દેશભરના પાવર પ્‍લાન્‍ટ્‍સની પાસે સરેરાશ ચાર દિવસનો કોલસો રહી ગયો હતો, જે વર્ષના સૌથી નીચલા સ્‍તર પર હતો. ઓગસ્‍ટની શરૂઆતમાં તેમની પાસે ૧૩ દિવસ સુધી વીજળી પેદા કરવા લાયક કોલસાનો સ્‍ટોક હતો.

કોલસાની અછતને જોતા એલ્‍યુમિનિયમ કંપનીઓ અને સ્‍ટીલ કંપનીઓ સહિત મહત્‍વના ગ્રાહકોને મળતા સપ્‍લાયમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. એવામાં ભારતને પણ ચીનની જેમ બે મોરચે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલો, કોરોનાને લગતા પ્રતિબંધો હટ્‍યા પછી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍ટિવિટી વધવાથી વીજળીની માંગમાં વધારો થયો છે. બીજી તરફ કોલસાના સ્‍થાનિક ઉત્‍પાદનમાં ઝડપથી ઘટાડો આવ્‍યો છે.

દેશની લગભગ ત્રણ ચતુર્થાંશ કોલસાની જરૂરિયાત સ્‍થાનિક ખાણોથી પૂરી થાય છે, પરંતુ ભારે વરસાદને પગલે તેમાં અને ટ્રાન્‍સપોર્ટ રૂટ પર પાણી ભરાઈ ગયા છે. એવામાં કોલસાથી પાવર પ્‍લાન્‍ટ્‍સ ચલાવતી કંપનીઓ સામે સમસ્‍યા એ છે કે, હરાજીમાં જે પણ કોલસા મળ્‍યા, તેના માટે વધુ પ્રીમિયમ આપે કે વિદેશી બજારમાંથી મંગાવે, જયાં પહેલેથી કિંમતો રેકોર્ડ હાઈ લેવલ પર છે.

સરકારી આંકડા મુજબ, કોલ પાવર પ્‍લાન્‍ટ્‍સની પાસે કોલસાનો સ્‍ટોક સપ્‍ટેમ્‍બરના અંતમાં લગભગ ૮૧ લાખ ટન રહી ગયો હતો, જે એક વર્ષ પહેલાની સરખામણીએ લગભગ ૭૬ ટકા ઓછો હતો. એ જ રીતે, ઈન્‍ડિયન એનર્જી એક્‍સચેન્‍જ પર વીજળીની સરેરાશ કિંમત વધીને ૪.૪ રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ હતી, જે એક વર્ષ પહેલા હતી તેના કરતા ૬૩ ટકા વધુ હતી.

એલ્‍યુમિનિયમ પ્રોડક્‍શન કંપનીઓની ફરિયાદ છે કે, કોલ ઈન્‍ડિયાએ પાવર પ્‍લાન્‍ટ્‍સને કોલસો આપવા માટે તેમનો સપ્‍લાય દ્યટાડી દીધો છે. કોલસા સચિવ અનિલ કુમાર જૈને કહ્યું કે, વરસાદને પગલે ખાણોમાં પાણી ભરાઈ જવાથી પાવર પ્‍લાન્‍ટ્‍સને રોજ ૬૦થી૮૦ હજાર ટન ઓછો કોલસો મળી રહ્યો છે.
અનિલકુમાર જૈનના જણાવ્યા અનુસાર, કોલસાના મહત્‍વના ઉત્‍પાદન કેન્‍દ્ર- ઝારખંડના ધનબાદમાં ગત મહિને ભારે વરસાદ થવાથી સ્‍થિતિ બગડી છે. તેમણે કહ્યું કે, કંપની પાવર પ્‍લાન્‍ટ્‍સમાં જરૂરિયાત પૂરતો કોલસો પૂરો પાડવા માટે સપ્‍લાય ઓક્‍ટોબરના બીજા સપ્તાહ સુધી જ વધારી શકશે.

Related posts

વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે છત્તીસગઢના મુખ્‍યમંત્રી પદ તરીકેના શપથ લેશે

Ahmedabad Samay

કોરોના વેકસીનને લઈ આવ્યા સારા સમાચાર, માર્ચ સુધી આવી શકેછે વેકસીન

Ahmedabad Samay

હવે 12થી 18 વર્ષના બાળકોને આપી શકાશે વેક્સિન

Ahmedabad Samay

વિજય દિવસની ગૌરવ ગાથા,૧૩ દિવસમાં જ પાકિસ્તાનના ૯૮૦૦૦ સૈનિકો ઝૂકી ગયા

Ahmedabad Samay

પી.એમ મોદીએ રાષ્ટ્રજોગ દરમિયાન વિવાદિત ત્રણેય કૃષિ કાનુનોને પરત લેવાની જાહેરાત કરી હતી

Ahmedabad Samay

અનંત અંબાણીના લગ્નના કારણે ૧૦૦ થી વધુ ખાનગી વિમાનો મુંબઈ એરપોર્ટ પર આવે તેવી શકયતા, મુંબઈ એરપોર્ટ રહેશે આજે વ્યસ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો