અમદાવાદની સ્કૂલમાં કોરોનાના કેસો આવતા શિક્ષણ વિભાગ સતર્ક થઇ ગયું છે, શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આપી સૂચના આપી, શિક્ષકોના રસીના 2 ડોઝ લેવાઈ જાય તે સુનિશ્ચિત કરવું અને કોઈ બાળકમાં રોગના ચિન્હો જોવાય તો આરોગ્ય કેન્દ્ર અને DEOને તાત્કાલિક જાણ કરવી.
શિક્ષણ વિભાગે વાલીઓને પણ સૂચના આપી છે કે જો બાળકોમાં લક્ષણ દેખાય તો સ્કૂલે ન મોકલવા અને સ્કૂલોએ ઓફલાઈન સાથે ફરજિયાત ઓનલાઈન શિક્ષણ રાખવુ પડશે.

