March 23, 2026
દેશ

બદલો તો આને કહેવાય,કુતરાઓએ વાંદરાના બચ્ચા ને માર્યું તો વંદરાઓ કુતરાના ૨૫૦ જેટલા બચ્ચાને માર્યા

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગામમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચેની લડાઈનો એક વિચિત્ર કિસ્સો આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, વાંદરાઓનું સમૂહ લગભગ ૨૫૦ કૂતરાઓને મારી ચૂક્યું છે. ગામના લોકોએ જણાવ્યું કે વાંદરાઓ બદલો લેવા માટે આવું કરી રહ્યા છે. ગામના લોકોના જણાવ્યા મુજબ, સૌપ્રથમ કૂતરાઓએ વાંદરાના એક બચ્ચાને મારી નાખ્યું હતું. જેથી નારાજ વાંદરાઓના સમૂહે કૂતરાઓને મારવાનું શરૂ કર્યું. વાંદરાઓ હવે કૂતરાઓને ખેંચીને લઈ જઈ રહ્યા છે અને આ કૂતરાઓને ધાબા અથવા વૃક્ષ પરથી નીચે ફેંકી રહ્યા છે.

ગામમાં દરરોજ કૂતરાના મોત વિશે જાણવા મળી રહ્યું છે. ત્યાં વાંદરાઓની સંખ્યા એટલી વધારે થઈ ગઈ છે કે ગામના લોકો ડરના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગામમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચેની લડાઈ મામલે મહારાષ્ટ્રનો ફોરેસ્ટ વિભાગ પણ સક્રિય થઈ ગયો છે.

ગામના લોકોની ફરિયાદ બાદ નાગપુરની ફોરેસ્ટ ટીમે ૨ વાંદરાને પકડ્યા છે. વન્યજીવ વિભાગનું કહેવું છે કે ઝડપાયેલા આ બંને વાંદરાને પાસેના કોઈ જંગલમાં છોડી મૂકાશે. વન્ય જીવ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ઘણાં દિવસોથી આ વાત અંગેની ફરિયાદ મળી રહી હતી કે બે વાંદરા, ગલુડિયાઓને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે આ વાંદરાઓને પકડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તેઓ બચી છૂટવામાં સફળ થતા હતા. પણ, શનિવારે આ વાંદરાઓને પકડવામાં સફળતા મળી.

આ વાંદરાઓને પાંજરામાં કેદ કરાયા છે. અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે કે એવું બની શકે છે કે કોઈ ઘટનામાં કૂતરાઓએ વાંદરાના બચ્ચા પર હુમલો કર્યો અને બદલો લેવાના હેતુથી વાંદરાઓ આ ગલુડિયાઓને નિશાન બનાવી રહ્યા હોય.

New up 01

Related posts

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay

ભારતીય નૌસેના હવે વધુ મજબૂત.

Ahmedabad Samay

ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો

Ahmedabad Samay

ભારતીય ટીમે ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેને ૭૨ રને હરાવ્યું

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો