March 23, 2026
ગુજરાત

નરોડા GIDCમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી થયું મોત

અમદાવાદના નરોડા જીઆઇડીસી ફેસ-ટુ માં ઍન્જીનીયરીંગ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગમાં ઍક કર્મચારીનું મોત થયું હતું.

નરોડા GIDCમાં ફેઝ 2માં આવેલી એક કંપનીમાં ઓઇલમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી મોત થયું છે. આગની ઘટના બનતાં ફાયર બ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ કર્મચારી આખો આગની ઝપેટમાં આવી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે દાઝી જવાથી મોત થયું હતું. આ મામલે ફાયરબ્રિગેડે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આજે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ નરોડા GIDC ફેઝ-2માં આવેલી આલ્ફા મેટલ નામની એન્જિનીયરિંગ કંપનીમાં કામ કરતો એક કર્મચારી મોહબ્બતસિંહ પરમાર (ઉ.વ વર્ષ 55) જ્યારે ઓઇલના ભાગમાં ગયા ત્યારે કોઈ કારણોસર આગ લાગી હતી. અને તેઓ આ આગની ઝપેટમાં આવી જતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

કર્મચારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી પરંતુ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં કર્મચારી મોહબ્બતસિંહ પરમાર નું ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસ અને FSLની ટીમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Related posts

ઓમિક્રોનની હવે ગુજરાતમાં એન્ટ્રી, તંત્રમાં ખળભળાટ મચી જવા પામી. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

કોરોના થયો તો પણ નેતાજી ન સુધર્યા, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરમાં ઉજ્જવી ત્રીજી એનિવર્સરીની

Ahmedabad Samay

કોરોના વોરિયર્સ ને સન્માન આપતું પેટ્રોલ પંપ, બે રૂપિયા ઓછા લેવાય છે કોરોના વોરિયર્સ પાસેથી

Ahmedabad Samay

સુરત: રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી! સૌથી વધુ આ જિલ્લામાં યુવાનો બેરોજગાર, 2 વર્ષમાં ગટરની સફાઈથી 11 કર્મીના મોત

Ahmedabad Samay

AMC પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ રુટ પરના દબાણો દૂર કરી રસ્તો કર્યો ખુલ્લો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો